SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ ન્હાવા માટે પાણીમાં પડશે અને અજાણતાંજ ચાંડાળણીની નજીક જઇ પહોંચશે, અને તેની સાથે તેને ભેટા થઇ જશે. માળ તે વખતે તેના અંગને સ્પર્શ કરશે અને સ્પર્શ થતાંજ માતંગી ઉપર માળનું લંપટપણું પ્રગટ થશે. પેલી સ્ત્રી તુરતજ તેને જણાવશે કે પોતે તે ચંડાળની સ્ત્રી છે, એમ છતાં પણ જોર વાપરીને-બળાત્કાર કરીને આળ તેના શરીરપર તૂટી પડશે જે વખતે ચાંડાળ સ્રી હાહારવ કરીને યુમે પાડવા લાગશે. તેની બુમ સાંભળીને ક્રોધમાં આવેલા ચંડાળ વૃક્ષામાંથી બહાર આવી તેની તરફ દોડશે અને દૂરથીજ ખાળને અને પેાતાની સ્ત્રીને એવી અવસ્થામાં જોશે. તે વખતે તેઓને એવી અવસ્થામાં જોઇને માળની ઉપર પેલા ચંડાળનેા ક્રોધ સળગી ઉઠશે એટલે તુરતજ પોતાના ધનુષ્યમાં તે બાણુ જોડશે. અને અરે અધમ પુરૂષ ! જરા માસ થા માણુસ ! આવું બયલા જેવું કાર્ય કરતાં શરમ ન આવી ? એપ્રમાણે ખેલતા ચંડાળ તેને ખાણ મારશે. માળ તે તેને જોઇનેજ ધ્રુજવા મંડી જશે અને તેના એકજ બાણથી તે પૂરો થઇ જશે. (મરણ પામશે.) અત્યંત ખરાબ રૌદ્ર ધ્યાનવડે મરીને તે નરકમાં જશે. ત્યાંથી નીકળીને અનેક કુયોનિમાં (ખરામ જગાએ) જન્મ લેશે, વળી મરીને નરકમાં જશે અને એવું એવું તેના સંબંધમાં અનંત વાર થશે, એવી રીતે અનંત કાળ સુધી અત્યંત અધમ અવસ્થામાં રહી સંસારચક્રમાં તે રખડ્યા કરશે અને અનેક પ્રકારનાં દુઃખા ચિત્રવિચિત્ર આકારમાં તીવ્રપણે સહન કર્યા કરશે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy