SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૯ પ્રકરણ ૧૩] આળનું અધમ વર્તન-તેપર વિચારણા. શત્રુમર્દન- મારા બુદ્ધિશાળી મંત્રી ! તેં ખરાખર અવસરને યોગ્ય સત્ય વાત કરી !” પછી આચાર્ય તરફ ફરી રાજાએ કહ્યું “સાહેબ ! એ માળની પરિણામે શી સ્થિતિ થશે અને તેના કેવા હાલ થશે તે મને કહી બતાવવા કૃપા કરો.” બાળ સંબંધી છેવટના પ્રશ્ન. આચાર્ય—“ તમારા ક્રોધનું પરિણામ તે હૃદયમાં ભય પેસી ગયેલા છે તેથી તે (માળ) લતા ચાલતા નથી. અહીંથી જેવા તે મહાર એની પાસે નહિ હા કે પાછી તેને તેની અસલ સંજ્ઞા પ્રાપ્ત થશે અને એવી સ્થિતિ થતાં જ વળી પાછા પેલા સ્પર્શન અને અકુશળમાળા તેના ઉપર પેાતાનું સામ્રાજ્ય સ્થાપન કરશે. ત્યાર પછી તમારા ભયને લીધે કોઇ પણ બીજા પ્રદેશમાં ચાલ્યા જવાના વિચારથી તે નાસતા નાસતા અનેક પ્રકારના કલેશે સહન કરીને કાલ્લાક નામના સંન્નિવેશ (ગામડા)માં જઇ પહોંચશે. ત્યાં કમૅપૂરક નામના નજીકના ભાગમાં જ્યારે તે જઇ પહોંચશે ત્યારે રસ્તાના થાકને લીધે તેને ઘણી તૃષા લાગશે. તે વખતે દૂરથી તે એક મોટું તળાવ જોશે. તળાવને જોઇને પાણી પીવાને માટે તથા ન્હાવાને માટે તે તરફ જશે. એ ત્યાં જઇ પહોંચશે તે પહેલાં એજ તળાવ પાસે એક ચંડાળ અને તેની સ્ત્રી આવી પહોંચેલા હશે. એ બેમાંથી ચંડાળ તે વખતે તળાવને કાંઠે આવેલા ઝાડાપર રહેલાં પક્ષીઆના શિકાર કરવામાં રોકાઇ ગયેલા હશે અને ત્યાં કોઇ માણસ નથી એમ ધારી ચાંડાળણી તળાવમાં ન્હાવા માટે ઉતરશે. ચાંડાળણી જેવી તળાવમાં ઉતરી રહેશે તેજ વખતે માળ તે તળાવની પાસે આવી પહોંચશે. તેને તળાવને કાંઠે આવી રહેલે જોઇ માતંગી (ચાંડાળણી) પાતાના મનમાં વિચાર કરશે કે આ તે કોઇ સ્પર્ય વર્ગના પુરૂષ દેખાય છે તેથી સરેવરમાં ઉતરવાના મેં મેાટા અપરાધ કરેલા હેાવાને લીધે જરૂર તે મારી સાથે લેશ કરશે એવી બીકથી તે (ચાંડાળણી) પાણીમાં ડૂબકી મારી જશે. કમળના જથ્થામાં છુપાઇને તે પાણીમાં સ્થિર ઊભી રહેશે. પેલા માળ પણ આચાર્યં કહેલું બાળનું ભવિષ્ય. સમજતા હેાવાથી તેના હાલ જરા પણ હાજશે અને તમે સર્વ ૧ ચાંડાળને અસ્પર્થ વર્ગના ગણવામાં આવતા હતા અને આવે છે. ઢેઢ અને ચંડાળ સિવાય બાકીના હિંદુએ સ્પર્થ્ય ગણાય છે. એ વાતની યાગ્યાયગ્યતાપર અત્ર વિચાર કરવાને પ્રસંગ નથી. અસ્પર્થ વર્ગના મનુષ્ય તળાવમાં ન્હાઇ શકે નહિ, કારણ કે એથી પાણી અપવિત્ર થાય છે એવી માન્યતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy