SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ રણ કરે છે, તેઓ ચાર સિંહાસનપર ચતુર્મુખે બીરાજેલા દેખાય છે, તેની મૂર્ત્તિ માત્રના દેખવાથીજ ( એટલે તેને જોવાથી જ) પ્રાણીઓનાં રાગદ્વેષ ગળી જાય છે, કર્મના જાળાં તૂટી પડે છે, વૈર સંબંધ શાંત થઇ જાય છે, સ્નેહના પાસેા કપાઇ જાય છે અને ખેાટી બાબત સાચા તરીકે સમજાણી હાય તેવા ભ્રમ દૂર થઇ જાય છે; છતાં અભવ્ય હાવાને લીધે અથવા નિરૂપક્રમ કર્મોના આકરા આવરણને લીધે કેટલાક પ્રાણીઓના અંતઃકરણમાં વિવેકકિરણને પ્રસાર થઇ શકતા નથી અને તેને લીધે તેવા પ્રાણીઓને ભગવાનની નજીકમાં હાવા છતાં ઉપર જણાવ્યા તેવા કોઇ પણ પ્રકારના લાભને એક અંશ પણ થતા નથી, એટલુંજ નહિ પણ ભગવાનને ઉદ્દેશીને તેનાં મનમાં એવા એવા પ્યાલા થાય છે કે અહા ! આની ઇંદ્રજાળ મહાઅદ્ભૂત દેખાય છે ! અરે એનું લોકેાને છેતરવાનું ચાતુર્ય તે જીએ ! અરે લેાકેાની અકલ તા જુએ કે તે ઇંદ્રજાળ રચવામાં કુશળ, જુટા અને વાચાળ મનુષ્યથી છેતરાઇ જાય છે! આ પ્રમાણે તીર્થંકર મહારાજના સંબંધમાં અને તેઓશ્રીની નજીકમાં પણ ખરાબ આચરણ કરનારા અધમ પ્રાણીઓ હાય છે; તેટલા માટે હે રાજન ! એ ખાળે મારી સમક્ષ એવું આચરણ કર્યું અથવા તે ખરાબ આચરણ કરયાના અધ્યવસાય ( વિચાર ) કર્યો .તેમાં કાંઇ અત્યંત અદ્ભુત વાત અની નથી. એ ખાળના શરીરમાં અકુશળમાળા નિરૂપમપણે વર્તે છે અને તે તેની માતા થાય છે તે મ્હાને તેની તદ્દન નજીક રહે છે અને એ પેાતાના પાપી મિત્ર સ્પર્શનને છાતીએ રાખીને ચાલે છે તેથી તેનું આવું પરિણામ આવે તેમાં તારે જરા પણ વિસ્મય પામવા જેવું નથી.” * સુબુદ્ધિ ભગવાનના આગમના શ્રવણાદિકથી જે પ્રાણીઓની બુદ્ધિ નિર્મળ થયેલી છે તેઓને આ વાતમાં જરા પણ નવાઇ જેવું લાગતું નથી. નિરૂપમ કૌનું એવાજ પ્રકારનું પરિણામ થાય છે એ બાબતમાં જરા પણ શંકા જેવું નથી; પરંતુ અમારા મહારાજા (શત્રુમર્દૂન) તા આપશ્રીના પ્રભાવથી હવે એવી બાબતમાં માહિતગાર થતા ાય છે, તેઓએ તે હજી એવી મામતે સમજવાની શરૂઆતજ કરી છે, તેથી તેઓ આપસાહેબ સાથે આ પ્રમાણે પ્રશ્નવાર્તા કરી રહ્યા છે.” ૧ અતિશયને લીધે ચાર મુખે બેઠેલા દેખાય છે. ખુદ ભગવાન પોતે પૂભિમુખજ બેસે છે. એનું વિસ્તૃત વર્ણન છઠ્ઠા પ્રસ્તાવમાં આવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy