SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩] બળનું અધમ વર્તન-તેપર વિચારણું. ૪૯૭ કારણ કે પ્રાણીનાં કર્મ બે પ્રકારના હોય છે. સોપકમ અને નિરૂપકમ. આમાં જે સપકમ કર્યો છે તેને કેઈ મહાત્મા પુરૂષના સંયે ગથી કે તેવા બીજા કોઈ કારણથી ક્ષય થઈ શકે છે સોપક્રમ નિ. અથવા તે દબાઈ જાય છે (ઉપશમ ભાવને પામે છે), રૂપક્રમ કર્યો. પણ જે નિરૂપકમ કર્મો છે તે તેવી રીતે નાશ પા મતાં નથી કે દબાઈ જતાં નથી. એવાં નિરૂપકમ કર્મોને વશ પડેલા પ્રાણીઓ મહાત્માઓની સમક્ષ ગમે તેવા ખરાબ કાર્યો કરે તેને કેણુ વારી શકે છે? દાખલા તરીકે ભગવાન મહાત્મા શ્રી તીર્થકર દેવ જેઓના પુણ્યસમૂહને વિચાર કરવો પણ અત્યંત મુશ્કેલ છે તેઓ જ્યારે ગંધહસ્તીની માફક આ પૃથ્વી તળપર વિચરતા હોય છે તે વખતે જેમ ગંધહસ્તીની ગંધથી બીજા હાથીઓ દૂર નાસી જાય છે તેમ સાધારણ હલકા પ્રકારના હાથીઓ જેવા દુષ્કાળ, ઉપદ્રવ, લડાઈ, મહામારી વૈર વિગેરે સર્વ સ યોજનથી પણ દૂર ભાગી જાય છે; એવા મહાત્મા ભગવાનની પાસે પણ જે ક્ષુદ્ર પ્રાણીઓ નિરૂપકમ કર્મના પાસથી બંધાયેલા હોય છે તેઓ શાંત તે થઈ શકતા નથી એટલું જ નહિ પણ ઉલટા ભગવાનની જ ઉપર અતિ અધમ પ્રકારના ઉપદ્રવ કરવા તૈયાર થઈ જાય છે. શાસ્ત્રમાં આપણે ગેવાળીઆ સંગમ વિગેરે અત્યંત પાપીઓનાં ચરિત્ર સાંભળીએ છીએ તે પરથી જણાય છે કે એવા પાપીઓ ભગવાનને પિતાને પણ મહાઉપસર્ગો પોતાનાં પાપ કર્મના જેરથી કરે છે. એવા મહાત્મા ભગવાન શ્રી તીર્થંકર દેવ જ્યાં વિચરતા હોય છે ત્યાં દેવતાઓ ‘સમવસ ઉપક્રમ લાગવાથી-સંગો ફરવાથી જેને અસર થાય તેવા કર્મો અને નિરૂપકમ કર્મોઃ તે જેને અસર ન થઈ શકે, જે તે જરૂપે ફળ આપે છે તેવાં ક. ૨ ગંધહસ્તી જ્યારે પૃથ્વી પર ફરે છે ત્યારે તેની ગંધથી બીજા હાથીઓ નાસતા ફરે છે. - ૩ ભગવાન વિચરતા હોય તેની આસપાસ સ યોજનામાં કોઈ પણ પ્રકારના કુદરતી ઉપદ્રવ થતા નથી એ તેમના અતિશયનું જોર છે. ૪ ગાવાળીઓ કાનમાં ખીલા ઠોકનાર અને પ્રભુના પગ પર ખીર રાંધનાર ગેવાળીઆનું દૃષ્ટાન્ત પ્રસિદ્ધ છે. (જુઓ મહાવીર ચરિત્ર-સર્ગ ચોથે. શ્લોક ૬૧૯-૬૪૯.) ૫ સંગમ છ માસ સુધી વાંચતાં કે સાંભળતાં પણ આંસુ પડાવે તેવા સર્વથી ભારે ઉપદ્રવ-ઉપસર્ગ કરનાર. સંગમના પરીષહો બહુ ભયંકર હતા. (જુઓ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રના દશમા પર્વને સર્ગ ચોથે. લેક ૧૬૪-૩ર૬.) ૬ સમવસરણ અત્યંત ઊંચા પ્રકારની દેશના દેવાની વ્યવસ્થા. એનું વર્ણન ખાસ વાંચવા ગ્ય છે. (જુઓ ત્રિષષ્ટિ શ.પુ. ચરિત્ર. આદીશ્વર ચરિત્ર. સર્ગ ત્રીજો લેક ૪૨૩-૪૫૮.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy