SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. પ્રસ્તાવ ૩ આચાર્યએ પુરૂષ જે દૂર બેઠો છે તેને એ સર્વ દોષ છે. બાળે અગાઉ જે આચરણ કર્યું હતું તે પણ એનાજ પજામાં સપડાઈ એને તાબે થઈને કર્યું હતું. એક વખત એ દૂર બેઠેલા પુરૂષના સપાટામાં આવી કઈ પણ પ્રાણ એને વશ પડી જાય છે એટલે પછી એવું જગતમાં કોઈ પણ પાપ નથી કે જે તે ન આચરે. એને વશ પડનાર પ્રાણુની એવી પરાધીન સ્થિતિ થઈ જાય છે. તેથી બાળના સંબંધમાં કાંઈ અસાધારણ બન્યું હોય, સમજવામાં ન આવે તેવું બન્યું હોય, માની ન શકાય તેવું બન્યું હોય, એમ તમારે ધારવું નહિ. એ દૂર બેઠેલા પુરૂષને વશ પડવાનાં આ સર્વ સાધારણ પરિણામ છે.” શત્રમર્દન–તેમજ હોય તે શરીરની અંદર રહેલા અને પિતાના આત્માનેજ અનર્થ ઉપજાવનારા આવા અધમ પુરૂષને બાળ શા માટે પોતાના શરીરમાં ધારણ કરી રાખતો હશે?” આચાર્ય–“એ શરીરની અંદર રહેલો પુરૂષ એટલે બધે ખરાબ છે એમ એક તે આ (બાળ) બાપટે જાણતા નથી! બીજું એ અંદર રહેલે પુરૂષ બાળને મહા દુશમન છે છતાં એ તેને પેતાના ભાઈ જેવો ગણે છે અને તેના ઉપર બહુ પ્રેમ રાખે છે!” શત્રમર્દન–“આવી બેટી માન્યતા થવાનું કારણ શું?” આચાર્ય—એ બાળના શરીરમાં શક્તિવડે એની માતા આ શળમાળાએ પ્રવેશ કર્યો છે. એ અકુશળમાળા આ સર્વ બેટી માન્યતાનું કારણ છે. અમે હમણું જે સ્પર્શેદ્રિયના બાળના મિત્ર સંબંધમાં તે ઘણું મુશ્કેલીથી જિતી શકાય તેવી છે અને માતા એમ વિસ્તારથી વર્ણન કરી ગયા એના રૂપક તરીકેજ આ સ્પર્શન નામનો બાળનો પાપી મિત્ર છે અને એ સ્પર્શન કે જે સ્પર્શેન્દ્રિયનું મૂર્તિમાનું રૂપ છે તે જ પેલે દૂર જઈ બેઠે છે. અમે જે ચાર પ્રકારના પ્રાણુઓનું ઉપર વર્ણન હમણું કરી બતાવ્યું તેમાંના જઘન્ય વર્ગને પ્રાણી આ બાળ છે, અને અકુશળ (અશુભ) કર્મની માળા (હાર) રૂપ એજ નામની (અકુશળમાળા નામની ) તેની માતા છે. આ પ્રમાણે હોવાથી હવે કઈ વાત એના સંબંધમાં સંભવી ન શકે? વળી રાજન્ ! તમે પૂછયું કે ભગવાનની સમક્ષ એવા અતિ દુષ્ટ અધ્યવસાય પ્રાણીને કેમ ઉદ્દભવી શકેતેના સંબંધમાં કહેવાનું કે તમારે એમાં પણ જરાએ આશ્ચર્ય પામવા જેવું નથી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy