SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ મનીષીએ આ અદ્ભુત હકીકત સાંભળીને તે પર વિચાર કરવા માંડ્યો-અહા ! આ આચાર્ય મહારાજે તે ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્ય મનુષ્યેા ગુણથી અમારી સમાન રૂપવાળા છે એટલુંજ નહિ પણ ચારિત્રથી પણ અમારી જેવાજ હોય છે એમ બરાબર બતાવી આપ્યું, તેથી આ વાત તે। અમને ત્રણે ભાઇઓને બરાબર મળતી આવે છે. વળી એ મહાત્માએ માતપિતા સંબંધી જે હકીકત કહી તે પણુ અમને બરાબર બંધબેસતી આવે છે, તેથી ખરેખર, એ ત્રણે સ્વરૂપવાળા અમે ત્રણે બંધુએજ હોઇશું એમ મને તેા ચાસ લાગે છે. સ્પ રોને મને અગાઉ જણાવ્યું હતું કે પેલા ભવજંતુ તેના તિરસ્કાર કરીને નિવૃત્તિ નગરીમાં ચાલ્યા ગયા, તે વખતે તેના કોઇ મા કે બાપ છે એમ તેણે મને કહ્યું ન હતું. આટલા ઉપરથી મારા મનમાં એમ નિશ્ચય થાય છે કે તે ભવજંતુ હતા તેનેજ ઉત્કૃષ્ટતમ વિભાગમાં મૂકવા જોઇએ. અમારા ત્રણે ભાઇઓના પિતા કવિલાસ રાજા છે અને ભગવાને જણાવ્યું તેમ અમારી માતાએ જાદી જૂદી છે, તેથી મને એમ અનુમાન થાય છે કે જઘન્ય વર્ગને પ્રાણી તે માળ, મધ્યમવર્ગના મધ્યમબુદ્ધિ અને ઉત્કૃષ્ટ વર્ગના પ્રાણી તે હું પાતે. પણ હવે વધારે વાત સાંભળતાં ચાક્કસ નિર્ણયપર અવાશે. ૪૦ તે પર મનીષીએ કરેલી વિચારણા. આવી રીતે મનીષી પેાતાના મનમાં વિચાર કરતા હતા તે વખતે સુબુદ્ધિ મંત્રીશ્વરે વળી બીજો પ્રશ્ન કર્યો-“ભગવન્ ! ચાર વર્ગના જૂદા જૂદા પ્રકારના પ્રાણીઓ આપશ્રીએ બતાવ્યા તે હમેશાં એવા ને એવા ૨હેવાના કે તેઓમાં કાંઇ રૂપપરાવર્તન થઈ શકે ખરૂં? એટલે કે એક વર્ગના પ્રાણીએ બીજા વર્ગમાં જઇ શકે એવું કાંઇ કારણ છે કે નહિ? તે આપ મને સમજાવે.” ચાર વર્ગના પુરૂષા ની વર્ગમાં સ્થિતિ ' આચાર્ય ઉત્કૃષ્ટતા વિભાગવાળા પ્રાણીઓનું સ્વરૂપ તે સ્થિત છે, તે કદિ બીજી સ્થિતિ પામતા નથી અને જે વર્ગમાં અને ૧ જુએ પૃષ્ઠ ૩૭૯. ૨ આ પ્રમાણે સુબુદ્ધિ પ્રશ્ન કહેછે વિગેરે હકીકત નંદિવર્ધન કુમારને સ્પ રૉનનું ખળ અને સેાખતની અસર બતાવવા સારૂ વિદુર કહે છે અને તે આખી વાર્તા સંસારીજી સદાગમ સન્મુખ કહી ખતાવે છે, અગૃહીતસંકેતાને ઉદ્દેશીને તે કહે છે અને પાંસે પ્રજ્ઞાવિશાળા અને ભવ્યપુરૂષ બેઠાં છે તે સાંભળે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy