SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨ ] ચાર પ્રકારના પુરૂષો. ૪૮૧ સુખમાં તે છે તેમાંજ નિત્ય રહે છે. બાકી બીજા ત્રણ વર્ગનું રૂપ અનિત્ય છે, કારણ કે તેને કર્મવિલાસ રાજાને આધિન રહેવું પડે છે. એ કર્મવિલાસ રાજા બહુ આકરી પ્રકૃતિના છે તેથી ઉત્કૃષ્ટ વર્ગના પ્રાણીઓને કોઇ વાર મધ્યમ બનાવી મૂકે છે અને કોઇવાર તેા તદ્દન જઘન્ય પણ બનાવી મૂકે છે; વળી મધ્યમ વર્ગના પ્રાણીને તે કોઇવાર ઉત્કૃષ્ટ મનાવે છે અને કોઇવાર તદ્દન જઘન્ય બનાવી દેછે; તેમજ જઘન્ય વર્ગના પ્રાણીઓને કોઇવાર મધ્યમ મનાવે છે અને કોઇવાર ઉત્કૃષ્ટ પણ મનાવે છે. સ્થિતિ આ પ્રમાણે હાવાથી જે કર્મવિલાસ રાજાના પંજામાંથી છૂટી ગયા હોય તેનું જ એકસરખું રૂપ હમેશ માટે રહે છે, બાકી બીજાઓનું તેમ રહી શકતું નથી. ” મનીષીએ વિચાર કરવા માંડ્યો કે આ સર્વ હકીકત પણ અમારા (ત્રણ ભાઇઓના સંબંધમાં) અને ભવજંતુના સંબંધમાં બરાબર અંધબેસતી આવી જાય છે. એનું કારણ એ જણાય છે કે અમારે પિતા બહુ આકરી પ્રકૃતિવાળા અને ચોક્કસ નિયંત્રણા કરનારા છે; એમણે પોતેજ મને એક વખત કહ્યું હતું કે તે પ્રતિકૂળ હેાય ત્યારે પ્રાણીને જેવું અનેછે તેવુંજ ખાળને મન્યું છે. પોતાના છેકરા પણ ઉલટે માર્ગે ચાલતા હોય તેા તેને પણ જે રાજા યોગ્ય રીતે દુઃખપરંપરા આપી યોગ્ય શિક્ષા કરે છે તે રાજા બીજા માણસા ઉપર કેમ આસક્તિ રાખે ? તે બીજાને ન્યાલ કરી દે કે છેડી દે અથવા તેપર ભમતા રાખે એમ ધારવું તદ્દન ભૂલભરેલું જ છે. ઉત્કૃષ્ટતમ વગની પ્રાપ્તિને ઉપાય, સુબુદ્ધિ— ભગવન્ ! આપે જે ઉત્કૃષ્ટતમ વર્ગના પ્રાણીઓ કહ્યા તે કાના પ્રભાવથી તેવા થાય છે ? 12 આચાર્ય—‹ એ વર્ગના પ્રાણીએ કોઇ બીજાના પ્રભાવથી તેવા થતા નથી પણ પેાતાના જ વીર્યથી-પોતાની જ શક્તિથી તેવા થાય છે.” સુબુદ્ધિ—“ એવા પ્રકારનું વીર્ય ઉત્પન્ન કરવાના ઉપાય શે તે આપ કૃપા કરીને બતાવે. ” આચાર્ય—‹ શ્રી જિનેન્ધર મહારાજે બતાવેલી દીક્ષા અંગીકાર કરવી અને તેને ભાવપૂર્વક પાળવી એ જ એવા પ્રકારની વીર્યપ્રાપ્તિના ઉપાય છે. ’ મનીષીએ પેાતાના મનમાં વિચાર કર્યો કે જો એમ જ હાય તે મારે પણ ઉત્કૃષ્ટતમ વિભાગના પ્રાણી થવું છે. સંસારની આવા પ્રકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy