SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ રંગ થાશરીર આ ગ્રંથનું શું છે તે કહેવામાં આવ્યું, હવે અહિરંગ કથાશરીર કહીએ છીએ. * મેરૂ પર્વતની પૂર્વ દિશાએ આવેલા મહાવિદેહ ક્ષેત્રમાં મુકચ્છ નામના એક વિજય છે. તે વિજયમાં ક્ષેમપુરી નામની એક નગરી છે જે તે વિજયની રાજધાનીનું શહેર છે. આ વિશાળ નગરમાં મુકચ્છ વિજયના પ્રભુ અનુસુંદર નામે ચક્રવર્તી ઉત્પન્ન થયા. એ અનુસુંદર ચક્રવર્તી પોતાના આયુષ્યના છેવટના ભાગમાં પેાતાના દેશ જોવાની ઇચ્છાથી આનંદ કરતા મહાર નીકળી પડ્યા. એ પ્રમાણે ફરતાં ફરતાં તે એક વખત શંખપુર નામના નગરમાં આવી પહોંચ્યા. તે નગરની બહાર મનને અત્યંત આનંદ ઉપજાવે તેવું ચિત્તરમ નામનું ઉદ્યાન-સુંદર બગીચા છે. તે સુંદર બગીચાની વચ્ચે મનેાનંદન નામના એક સુંદર જૈન પ્રાસાદ છે. આ બગીચામાં આવેલા સુંદર પ્રાસાદમાં એક વખત સમન્તભદ્ર નામના મહા ધુરંધર આચાર્ય પધાર્યા. તેમની પાસે મહાભદ્રા નામની પવિત્ર સાધ્વી, સુલલિતા નામની અતિ ભેળી અને પવિત્ર રાજકુંવરી, પુંડરિક નામને રાજપુત્ર અને બીજા અનેક લેાકેાની મોટી સભા મળી છે. અનુસુંદર ચક્રવર્તીએ મહાપાપ કર્યું છે એમ જ્ઞાનદૃષ્ટિવડે જોઇને તે વખતે તે વિદ્વાન સમન્તભદ્ર સૂરિએ આ પ્રમાણે કહ્યું. “મહાર લાકામાં જેના મોટા કાળાહળ અત્યારે સંભળાય છે તે સંસારીજીવ નામના ચેાર છે અને તેને વધ્ય સ્થાનકે લઇ જવામાં આવે છે. ” આચાર્ય મહારાજનું આવું વચન સાંભળીને મહાભદ્રા સાધ્વીએ વિચાર કર્યો કે જે જીવનું સૂરિ મહારાજે આવી રીતે વર્ણન કર્યું તે કાઇ નરકગામી જીવ હોવા જોઇએ. આવા વિચારથી તે સાધ્વીને તે જીવ ઉપર કરૂણા ઉત્પન્ન થઇ, તેથી તે વધ્ય સ્થાનકે લઇ જવાતા તે જીવની પાસે ગયા. સાધ્વીના દર્શનથી તે જીવને સ્વગોચર જ્ઞાન બહિરંગ કથાશરીર. ૧ જૈન ભૂગાળ પ્રમાણે મેરૂ પર્વત પાસે મહાવિદેહ ક્ષેત્ર શ્રીજંબુદ્રીપમાં આવેલ છે. તે ક્ષેત્રમાં સર્વદા ચેાથા આરાના ભાવે વર્તે છે. તેના ૩૨ વિભાગ પાડવામાં આવ્યા છે, જેને વિજયના નામથી ઓળખવામાં આવે છે. ચક્રવતી આખા વિજય પર જય મેળવી તેના પર સામ્રાજ્ય ચલાવે છે. ૨ મારી નાખવાનું સ્થાન, ફ્રાંસી દેવાની અથવા શૂળીએ ચઢાવવાની જગાને વધ્ય સ્થાન કહેવામાં આવે છે. ૩ જાતિસ્મરણજ્ઞાન. આ જ્ઞાન મતિજ્ઞાનના ભેદ છે, એનાથી પૂર્વ ભવના વૃત્તાંત યાદ આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy