SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ પીઠબંધ ] અંતરંગ કથાશરીર. આવશે કે સંસારીજીવનું સંસાર પર અત્યંત વિરાગ ઉત્પન્ન કરે તેવું ચરિત્ર સાંભળીને ભવ્યપુરુષ બોધ પામે છે. સંસારીજીવે વારંવાર પ્રેરણું કરેલી અગૃહીતસંકેતા ઘણું મુશ્કેલીથી બંધ પામે છે એમ પણ ત્યાં જણાવવામાં આવશે. કેવળજ્ઞાનરૂપ સૂર્યથી ભાસમાન નિમેળાચાર્યને પૂર્વ ભવમાં મળેલ તે વખતે સંસારીજીવે પોતાને સર્વ વૃત્તાંત પૂછીને સારી રીતે સમજી રાખ્યો હતો અને સદારામે સંસારીજીવને વારંવાર સ્થિર કરવાથી તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હતું, તેથી આ સર્વ વાત તેણે પ્રતિપાદન કરી છે. આ કથામાં અંતરંગ લેકનાં જ્ઞાન, અરસ્પરસ બેલચાલ, ગમન આગમન, વિવાહ, રસગપણ વિગેરે સર્વ લોકસ્થિતિ આ રૂપકથાને કહેવામાં આવી છે, તેને કઈ પણ પ્રકારે ગેરવાજબી આગમથી બચાવ. ન ધારવી; કારણ કે ગુણાન્તરની અપેક્ષા રાખીને ઉપમા દ્વારથી બંધ કરાવવા માટે તેનું નિવેદન કરવામાં આવ્યું છે. વિદ્વાને કહી ગયા છે કે પ્રત્યક્ષથી કે અનુભવથી જે સિદ્ધ થતું હોય અને યુક્તિથી જેમાં કોઈ પણ પ્રકારનો દોષ આવતું ન હોય તે 'સત્કલિપત ઉપમાન કહેવાય છે અને સિદ્ધાન્તમાં પણ એવાં ઉપમાન ઘણું જગએ કરેલાં લેવામાં આવે છે. દાખલા તરીકે શ્રીઆવશ્યક સૂત્રમાં મગળીઆ પાષાણ અને પુષ્પરાવર્તકના વરસાદની સ્પર્ધા-હરીફાઈ બતાવવામાં આવી છે અને તે જ સૂત્રમાં નાગદત્તના ચરિત્રમાં કોધ વિગેરેને સપનું ઉપમાન આપવામાં આવ્યું છે. તે ઉપરાંત પિષણ અધ્યયનમાં માછલાએ પિતાનું ચરિત્ર કહ્યું છે અને શ્રીઉત્તરાધ્યયન સૂત્રમાં સૂકાં (ખરી જતાં) પાંદડાંઓએ સંદેશે કહ્યો છે. મૂળ સિદ્ધાન્તમાં આ પ્રમાણે હેવાથી આ કથામાં જે હકીકત કહેવામાં આવશે તે યુક્તિયુક્ત છે એમ સમજવું અને ઉપમાનથી સવે કહેવામાં આવેલ છે એમ જાણવું. આ પ્રમાણે અંત ૧ કલ્પના પર આધાર રાખનાર સુંદર અનુમાન ઉપમાન દ્વારા આ કાર્ય બહુ ફિત્તેહમંદીથી થાય છે. * ઉપમા દ્વારા ઉપદેશ આપવાની પદ્ધતિ આગમસંમત છે તે બતાવવા આ ચાર દાખલાઓ ગ્રંથકર્તાએ આપ્યા છે. આ ચારે દાખલાઓ ધણું સુંદર છે, મૂળ સૂત્રમાંથી છે, અત્રે નોટમાં તે લખતાં નોટ બહુ લાંબી થઈ જાય તેથી તે ચારે પરિશિષ્ટમાં આપ્યા છે. મતલબ આ પ્રકારની કથા કરવી તે શાશ્વસંમત છે એમ બતાવવાને ગ્રંથકારને આશય છે. વિસ્તાર માટે પુસ્તકને છેડે આપેલ પરિશિષ્ટ જ જીઓ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy