SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ४८८ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [પ્રસ્તાવ ૩ “કલંક લગાડનારા હોય છે. તેઓ મહામેહમાં પડી ગયેલા હોવાથી તેઓનું હિત હૃદયમાં ધારણ કરીને કોઈ તેઓને સન્માર્ગને ઉપદેશ કરે છે તો તેઓ તે હકીકતને કદિ પણ સાંભળતા નથી અને કદિ સાંભળે છે તો તેને કબૂલ કરતા નથી.” મુનિ મહારાજ આચાર્ય શ્રી પ્રબંધનરતિનાં આ વાક્ય સાંભ ળીને મનીષી તથા મધ્યમબુદ્ધિએ પિતાના મનમાં જઘન્યનાં લક્ષણ વિચાર કર્યો કે સૂરિ મહારાજે અતિ વિદ્વત્તા ભરેલા પર વિચારણા શબ્દોમાં સ્પર્શેટ્રિયમાં આસક્ત છે જેને જઘન્ય વર્ગના ગણવામાં આવ્યા છે તેનું જે વર્ણન કર્યું તે સર્વ ખુલ્લી રીતે બાળમાં દેખાઈ આવે છે અને ખરેખર ! આ સૂરિ મહારાજ જે કહે છે તે તદ્દન સાચું જણ્ય છે; કારણ કે પિતાના જ્ઞાનમાં બે પ્યું ન હોય-જે બરાબર તેઓએ જ્ઞાનદષ્ટિથી જોયું ન હોય તે કદિ તેઓ બેલતા નથી. હવે પેલા બાળે તો સૂરિ મહારાજે જે ઉપદેશ આપે અને હકીકત સમજાવી તેના તરફ જરા પણ ધ્યાન આપ્યું નહિ, તે તે રાણી મદનકંદળી ઉપર આસક્ત થઈને તેના તરફ જ જોઈ રહ્યો હતો અને તેની સાથે વિલાસ કરવાના વિચારજ કરી રહ્યો હતો. સૂરિ મહારાજે પોતાના ઉપદેશનો ઉપસંહાર કરતાં જણાવ્યું “રાજન શત્રુમદન ! મેં તને અહીં જઘન્ય વર્ગના પ્રાણુઓનું વર્ણન કરી બતાવ્યું તે તારા સમજવામાં આવ્યું હશે; તેના સંબંધમાં તને “વિશેષ એટલું જણાવવાનું કે આવા પ્રકારના જઘન્ય વર્ગના પ્રાણીઓ “આ ભુવનમાં બહુ હોય છે અને બાકીના ત્રણે વર્ગના ( ઉત્તમોત્તમ, ઉત્તમ અને મધ્યમ) પ્રાણુઓ તે ત્રણ ભુવનમાં પણ બહુ થોડા હોય છે. એમ કહેવાનું કારણ એ છે કે ત્રણ ભુવનમાં સ્પૌદ્રિયને “જીતનાર પ્રાણુઓ બહુ વિરલ (ઓછા) હોય છે.” શત્રમર્દન—“ કયા હેતુને લઈને જીવ ધર્મ આચરી શકતે નહિ હોય એ બાબતને મેં આપને પ્રશ્ન કર્યો હતો તે સંબંધમાં આપે આ હકીક્ત કહીને મારી તે શંકા દૂર કરી છે તે માટે હું આપને આ ભાર માનું છું.” ચાર પ્રકારના પ્રાણુઓ પર વિવેચન, એ અવસરે સુબુદ્ધિ મંત્રી બેલ્યો કે “મહારાજ ! આપ સાહેબે જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટતમ એ ચાર વર્ગના પ્રાણીઓનું ૧ જુઓ પૃષ્ઠ ૭૪. ત્યાં આ પ્રશ્ન સૂરિ મહારાજને રાજાએ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy