SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૫ પ્રકરણ ૧૨] ચાર પ્રકારના પુરૂ મધ્યમ પ્રાણીનું સ્વરૂપ, શત્રમર્દન રાજા! તારી પાસે મેં ઉત્કૃષ્ટ વર્ગના મનુષ્યોનું વર્ણન કરી બતાવ્યું. હવે ત્રીજા મધ્યમ વર્ગના પુરૂષનું વર્ણન તને કરી બતાવું છું તે તું ધ્યાન રાખીને સાંભળ. જેઓ આ મનુષ્ય “જન્મ પ્રાપ્ત કરીને સ્પર્શેન્દ્રિયનું સ્વરૂપ મધ્યમબુદ્ધિ વડે સામાન્ય “ નજરથી જોઈ શકે છે તેઓને મધ્યમ પ્રાણીઓ સમજવા. આ વર્ગના “પ્રાણુઓ સ્પર્શેન્દ્રિયને પ્રાપ્ત કરીને તેના સુખમાં આસક્ત થઈ જાય છે; વળી કઈ વિદ્વાન મનુષ્ય તેઓને તે ઇંદ્રિયોનું સ્વરૂપ કેવું છે અને તેનાં ભેગનાં ફળ કેવાં છે તે સંબંધમાં ઉપદેશ આપે છે ત્યારે તેઓનું મન ઓળાય છે. તેઓને વિચાર થાય છે કે-આ વિચિત્ર “સંસારમાં કરવું શું? એક બાજુ જોઈએ છીએ તો અનેક પ્રાણીઓ ઇંદ્રિયના ભેગોની પ્રશંસા કરે છે અને ઘણું પ્રાણીઓ બહુ આનંદપૂર્વક તેની સેવા કરે છે; વળી કેટલાક શાંત જીવો સર્વ પ્રકારની સ્પૃહાને ત્યાગ કરીને આ ભેગોની નિંદા કરે છે, ત્યારે આવી ઘૂચમાં આપણે ક માર્ગ લે? એ કાંઈ સમજાતું નથી. આવા “આવા વિચાર કરીને તેઓ સદેહમાં પડી જાય છે અને એમાંથી “એકે નિર્ણય પર આવી શકતા નથી. છેવટે જ્યારે તેઓને એકે માર્ગ સુજતો નથી ત્યારે તેઓ એ સંબંધમાં કાળક્ષેપ કરે છે “( કાંઈ પણ નિર્ણય કર્યા વગર વખત કાઢે છે) અને વિચારે છે કે “આ બાજુએ કે પેલી બાજુએ ઢળી જવા પહેલાં જરા વખત પ“સાર થવા દે, આગળ ઉપર થઈ રહેશે. મનુષ્યનાં જેવાં કર્મ “હેય છે તેવી તેઓને બુદ્ધિ થાય છે, કારણ કે સુર મનુષ્ય કહી “ગયા છે કે બુદ્ધિ: કમનસારિણી એટલે બુદ્ધિ જેવી કાર્યપરંપ“રાની પદ્ધતિ હોય છે તે અનુસાર થાય છે. આવી દોલાયમાન સ્થિ“તિમાં તેઓ સ્પર્શેન્દ્રિયને અતિ સુખની હેતુભૂત તો સમજે છે અને તેને અનુકુળ સર્વ આચરણ કરે છે પણ તેમાં ઘણું આસક્ત બની જતા નથી. સ્પર્શેદ્રિયને વશ થઈ જઈને તેઓ લેકવિરુદ્ધ કઈ પણ “આચરણ કરી નાખતા નથી તેથી તેઓને મોટું દુ:ખ કે પીડા આવી પડતી નથી. તેઓને ડાહ્યા મનુષ્ય જે જે શિખામણ આપે છે “તે સર્વ તેઓ બહુ સારી રીતે સાંભળે છે અને સમજે છે, પણ તેઓએ કદિ દુઃખ જોયેલું ન હોવાને લીધે તેવા વિચક્ષણ પુરૂના “ઉપદેશ પ્રમાણે આચરણ કરતા નથી. વળી તેઓ બાળ જીવની સાથે સેહમાં પડી જઈને તેઓની દોસ્તી કરી બેસે છે અને તેવા સંબંધને પરિણામે કઈ કઈ વાર ભયંકર દુઃખ પણ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy