SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. ४८० [પ્રસ્તાવ ૩ સેંદ્રિય અને સ્પૉન એક કેવી રીતે છે તે ભવજંતુના સંબંધ બતાવી સ્પષ્ટ કરી આપ્યું. તે વખતે બિચારો બાળ તા પાપકર્મના જોરથી ચારે દિશામાં આમ તેમ જોયા કરતા હતા અને ગુરૂ મહારાજ હિતનાં વચન ખેલતા હતા તે તરફ તદ્દન અનાદર બતાવતા હતા. હવે તે વખતે આચાર્ય મહારાજના મુખમાંથી નિકળતી અમૃત જેવી વાણીનું પાન કરતી મહા સ્વરૂપવાળી અને વિશાળ આંખોવાળી મદનકંદની રાણી જે રાજાની સમીપે જ બેઠી હતી તેના ઉપર આળની પાપી નજર ગઇ, એટલે તુરતજ તેના મનમાં વિચાર થયો કે મારી હૃદયવલ્લભા મદન કંદળી પણ અહીંજ આવેલી જણાય છે ને શું ! અહાહા ! સાનાની જેવી કાંતિને ધારણ કરતું તેનું શુદ્ધ શરીર દેખવા માત્રથીજ તેની સંપૂર્ણ કોમળતાનાજુકતા બતાવી આપે છે ! તેના અન્ને પગા જેની અંદરની શિરાઓ દેખાતી નથી, જે કાચબાની જેવા ઊંચા છે અને જે ઘણાજ ઉત્તમ પ્રકારના અને સરખા છે તે રક્ત કમળની જેવી શાભા આપે છે. એ મદનકંદળીના બન્ને સાથળેા કામદેવના મંદિરમાં જાણે તારણના આકાર ધારણ કરતા હોય તેમ ઘણા સુંદર દેખાવાથી બહુ શાભા આપે છે. એ સુંદર સ્ત્રીના નિતંબ ઉપર આવી રહેલી મેખલા વડે જાણે કામદેવ રૂપ હાથી અંધાઇ ગયો હેાય એમ જણાય છે અને તે તેની સામું જોનારને અમૃતનું પાન કરાવે છે. માળના તુચ્છ વિચાર બાળની દૃષ્ટિએ મદનકુંદળીના સૌંદર્યનું વર્ણન. ૧ મુનિ ઉપદેશ આપે છે ત્યારે આળ કેવા ધંધા કરે છે તે વિચારવા યાગ્ય છે. ઉપદેશ વખતે આવી દશા ખાળ જીવાની થઇ આવે છે તે પર ધ્યાન આપવું. ઉપયાગ રાખવાથી આ ખાખતા સુધરી શકે છે. ૨ રાતા કમળને પદ્મ કહેવામાં આવે છે-તેની શિરાએ-નસા દેખાતી નથી તેમજ મઢનકંદળીના પગની નસે। દેખાતી નથી; તે કમળની પેઠે ઉપસી આવેલ અને ધટ છે. આખું વાકય ક્ષેષ છે. શિરાઃ (૧) નાડી (૨) નસ, રેસા. ૭ તારણુ: એ સુંદરીના સાથળેા કમાનની જેમ અર્ધચંદ્રાકાર છે તે જાણે કામદેવના મંદિરમાં તારણ લટકાવી દીધું હેાય તેવા લાગે છે. તારણઃ (૧) કમાન (૨) તારણ. ૪ મેખલા: કંદોરા–સ્રીએ ક્રેડ ઉપર પહેરે છે. એ જાણે મન્મથમાતંગને ( કામદેવ રૂપ હાથીને) માંધવાની વિશાળ સાંકળ હેાય તેવી શાભા આપે છે. મેખલાઃ (૧) કટિસૂત્ર, કંદોરા; (૨) હાથીને ખાંધવાની સાંકળ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy