SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ४७८ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ સાથે સંબંધ રાખતા નથી. ત્યાર પછી તેઓ ભૂમિ ઉપર શયન કરે છે પણ કમળ શયાને શેધતા નથી. તેઓના પિતાના માથાપરના મુછને તથા દાઢીના વાળને લોચ કરે છે પણ તેને સારી રીતે ઓળતા નથી અને તેને દુઃખ ન થાય તેવી રીતે ક્ષૌર (હજામત) કરાવતા નથી–આવી રીતે અનેક પ્રકારના શારીરિક કલેશે જે સ્પર્શનને પ્રતિકુળ હોય છે તેને તેઓ ખુશીથી આદરે છે અને “સ્પૌદ્રિયને સુખ થાય તેવી બાબતોની જરા પણ ઈચ્છા રાખતા ન હોવાથી તેઓને કલેશેથી જરા પણ આકુળતા થતી નથી. એ પ્ર“માણે સર્વ કર્મોથી થતાં કલેશને નાશ કરીને સ્પર્શેન્દ્રિય પર સંપૂર્ણ “જય મેળવી તેઓ આખરે નિવૃત્તિ નગરી (મેક્ષ) માં ચાલ્યા “જાય છે જ્યાં ગયા પછી તેઓને કેઈ પણ પ્રકારનો કલેશ કદિ “થઈ શકતો નથી-આવી રીતે તેઓ સ્પર્શેન્દ્રિય પર સંપૂર્ણ જય મેળવે છે. આવા પ્રકારના પ્રાણીઓને વિચક્ષણ મનુ “ઉત્કૃષ્ટતમ ? (ઉત્તમોત્તમ) વર્ગના મનુષ્ય કહે છે અને જેઓ એ પ્રમાણે વર્ત છે તે મહા ભાગ્યવાન હોય છે પણ એટલી વાત ખરી છે કે એવા “ઉત્કૃષ્ટતમ વર્ગના પ્રાણુઓ જગતમાં વિરલા (બહુ ડા) હોય છે.” ઉપદેશની જુદી જુદી અસર ભગવાન આચાર્ય મહારાજ શ્રી પ્રબંધનરતિનાં આવાં વચન સાંભળીને સુંદર મનવાળા મનીષીના મનમાં વિચાર મનીષીના વિ- થેયે કે આ ભગવાને જેવું સ્પૉંદ્રિયનું સ્વરૂપ હશુદ્ધ વિચારે. મણું કહી બતાવ્યું અને તેમાં જણાવ્યું કે એ સ્પર્શે દ્રિય અત્યંત આકરી છે તેવું જ સ્વરૂપ બોધ અને પ્રભાવે મને અગાઉ સ્પર્શનનું કહ્યું હતું. તે વખતે મને જણુવ્યું હતું એ મહા બળવાળે સેનાની સ્પર્શન અંતરંગ નગરમાં વસનાર છે. આટલા ઉપરથી એમ સમજાય છે કે હમણું આચાર્ય મહારાજે જે સ્પર્શેવિયનું વર્ણન કર્યું તે પુરૂષનું રૂપ ધારણ કરી સ્પર્શનના આકારમાં અમને સર્વને છેતરે છે. આ વાત બરાબર તેમજ હોવી જોઈએ, નહિ ૧ વિચારશીળ મનીષી પોતાના મનમાં જ વિચાર કરી સ્વયં બોધ પામે છે. સુજ્ઞ સરળ મહાત્માઓને એજ માર્ગ છે. એને બળવાન નિમિત્ત મળે કે તુરત એ રસ્તા પર આવી જાય છે; બાહ્ય પ્રેરણાની એને જરૂર રહેતી નથી. ૨ બાધ અને પ્રભાવે કહેલા સ્પર્શનના સ્વરૂપ માટે જુઓ ઉપર-આ પ્રસ્તાવનું પ્રકરણ ૪ થું. અહીં તે હકીકતને ઉપનય મનીષી પોતેજ બહુ સારી રીતે ની વાત કહેવા માંડી ત્યારથી જ આ વિષય શરૂ થાય છે. વિદુરની વાર્તા પ્રકરણ ત્રીજાથી શરૂ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy