SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧] પ્રાધનરતિ આચાર્ય. ૪૬૫ તે દરરોજ સ્પરીનથી ઉલટાજ ચાલ્યા કરે છે ત્યારે રાજાને તેના ઉ પર વધારે પક્ષપાત થયા અને તેણે શુભસુંદરીને કહ્યું “ વહાલી ! તું સારી રીતે જાણે છે કે અનાદિકાળથી મારી પ્રકૃતિ એક સરખી વર્તેછેઃ જે સ્પર્શનની સાથે અનુકૂળ થઇને રહે છે તેની સાથે મારે પ્રતિકૂળપણે વર્તવું પડે છે અને તેમ કરવું તે મારી પ્રકૃતિ જ થઇ ગઇ છે; જ્યાં હું પ્રતિકૂળપણે વતું છું ત્યાં અકુશળમાળા મારી નજીક રહે છે અને તેની મારફત હું કામ લઉં છું અને જ્યાં હું અનુકૂળપણે વસ્તું છું ત્યાં તું પાતે મારી નજીક રહે છે અને તારી મારફત હું કામ લઉં છું. આ પ્રમાણે હકીકત હાવાથી માળ, સ્પર્શનને અનુકૂળ રહેતા હતા તેથી મેં અકુશળમાળા દ્વારા મારૂં પ્રતિકૂળ ફળ તેને થાડું થોડું અતાવી આપ્યું છે તે તે તે જોયું, પણ આ મનીષી સ્પર્શનને પ્રતિકૂળ રહે છે તેને મારૂં અનુકૂળ ફળ હજી સુધી મેં બતાવ્યું નથી. એને સ્પૉન ઉપર આસક્તિ ન હેાવા છતાં કોમળ શય્યા સ્ત્રીસંભાગ વિગેરે અનેક પ્રકારનાં સુખ થાય છે અને આસક્તિ વગર તેને તે ભાગવે છે અને દુનિયામાં તેને યશ બેલાય છે તેમજ તેને ( મનીષીને ) દુ:ખની ગંધ પણ આવતી નથી તે સર્વનું કારણ તારી દ્વારા હું જ છું, છતાં મારી જ્યારે તેના ઉપર કૃપા થઇ છે ત્યારે તેને માત્ર એટલુંજ ફળ મળે તે ઠીક કહેવાય નહિ; તેને હજી સુધી જે લાભ થયા છે તે તેા ગેરલાભ ન થવા પૂરતાજ લાભ છે, પણ તેને વિશેષ ખાસ લાભ આપવા જોઇએ; માટે એ મનીષીને વિશેષ લાભ મળે તે માટે મારી મરજી પ્રમાણે તું પ્રયાસ કર, કારણ કે વિશેષ પ્રકારના ખાસ લાભને તે યેાગ્ય છે. શુભસુંદરીએ જવાબ આપ્યો “ આર્યપુત્ર ! આપ કહે છે તે ખરાખર છે. મારા મનમાં પણ હતું કે એ મનીષી આપની કૃપાને ખાસ યોગ્ય છે. આપે ફરમાવ્યું તેમ તેના સંબંધમાં હું કરીશ. ” આ પ્રમાણે કહીને શુભસુંદરીએ પાતાની યોગશક્તિ પ્રગટ કરી, પોતે અંતર્ધ્યાન થઇ મનીષીના શરીરમાં પ્રવેશ કર્યો, મનીષીના મનમાં ઘણાજ પ્રમાદ થયો, આખું શરીર અમૃતના સિંચનથી તમેાળ થઇ ગયું, નિજવિલસિત ઉદ્યાનમાં જવાની ઇચ્છા તેને થઇ આવી, તે તરફ જવા સારૂ તે નીકળ્યા, પણ વળી મનમાં વિચાર થઇ આવ્યો કે ત્યાં એકલા કેવી રીતે? મધ્યમબુદ્ધિને નિવિલસિત ઉદ્યાનમાં ત્રણે ભાઇએ. Jain Education International ૧ પ્રમેાદઃ મનીષીના આનંદ અંતરંગ પ્રમેાદમાંજ છે એ ધ્યાનમાં રાખવું. ૫૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy