SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ હતા, પ્રજ્ઞાચક્રની નાભિ હતા, લાભસમુદ્રનાવવાનળ હતા, ક્રોધસર્પને માટે મોટા મંત્ર હતા, મહામેાહના અંધકારને દૂર કરનાર સૂર્ય હતા, શાસ્ત્રરત્નો પર પાસા પાડવાને અને તેની પરીક્ષા કરવાને ફસાટિના પથ્થર હતા, રાગવનનાં ઝાડાને બાળી નાખનાર દાવાનળ હતા, નરકદ્વારની સામે મેાટી ભાગળ હતા, શુદ્ધ માર્ગના અતાવનાર હતા, અતિશયવાળા જ્ઞાનરતના ભંડાર હતા અને ટુંકામાં કહીએ તે એ મહાત્મા સર્વ ગુણેાના મિલનસ્થાન' હતા. મનીષી માટે કર્મવિલાસની અનુકૂળતા. હવે પેલી બાજુએ કર્મવિલાસ રાજાએ જ્યારે જાણ્યું કે મનીષી ૧ પ્રજ્ઞાચક્રની નાભિઃ પ્રજ્ઞા-સમયસૂચકતા આદિ તાત્કાળિક બુદ્ધિ-તે રૂપ ચક્ર-વર્તુળના મધ્યબિંદુ રૂપ હતા; મતલખ તેએમાં અનેક પ્રકારની બુદ્ધિ હતી; અથવા યાગમાં નાભિ સાથે જે અનેક ચક્રો બતાવ્યાં છે તે તેને સારી રીતે જ્ઞાત હતાં. ૨ વડવાનળઃ દરિયામાં એક પ્રકારને અગ્નિ થાય છે તે મહા ભયંકર હાઇ સમુદ્રનાં પાણીનું શેાષણ કરે છે. એ અગ્નિને ‘વડવાનળ' કહેવામાં આવે છે. આ મહાત્મા લે।ભરૂપ સમુદ્રની સાથે વડવાનળનું કામ કરનારા હતા—મતલબ લેાભને નાશ કરનારા હતા. ૩ મંત્રઃ મહા ભયંકર અને ઝેરી સર્પને વશ કરવા જાંગુલી મંત્રને ઉપયેગ કરવામાં આવે છે, એનાથી સર્પનું ઝેર ઉતરી જાય છે. ક્રોધ ભયંકરપણામાં સર્પએરૂ જેવા જ છે. એને વશ કરવામાં અને એનું ઝેર ઉતારવામાં આ મહાત્મા પાસે જાગુલી મંત્ર જેટલું આત્મબળ હતું. ૪ દાવાનળ: જંગલમાં જ્યારે દાવાનળ થાય છે ત્યારે એ ભયંકર અગ્નિથી સર્વ ઝાડાને નાશ એક સાથે થઇ જાય છે. આ મહાત્મા રાગવનમાં ઉગેલાં સર્વ કષાયવ્રુક્ષાને ખાળી નાખનાર દાવાનળ જેવા હતા. ૫ ભાગળ: અર્ગલા. જુના જમાનાના ઘરના બારણાની બાજુમાં ભીંતમાં પ્રવેશ કરતી અને ખેંચવાથી બારણાની આડી આવી રહેતી ભેગળા રાખવામાં આવતી હતી. એ ભેાગળ જ્યાં સુધી દ્વારની આડી હેય ત્યાં સુધી મારણું ઉઘડી શકતું નથી. નરકના બારણાની પાછળ તેએ ભાગળ જેવા હતા તેથી નરનાં બારણાં તેઆ માટે સર્વદા બંધજ રહેતા. બીજી રીતે બારણાને બહારથી બંધ કરી શકાય તેવી ગાડવણવાળા અંદરના આગળીઆને પણ ભેાગળ-અર્ગલા કહેવામાં આવે છે. બન્નેમાંથી એક પણ રીતે દ્વારની સામે ભેાગળ લગાવવામાં આવી હેાય તે। પછી તેને–ભાગળને ( અર્ગલાને ) ખસેડ્યા વગર બારણાં ઉઘડી શકતાં નથી. ૬ મિલનસ્થાનઃ મળવાનું ઠેકાણું. એકત્ર થવાની જગા. એમનામાં સર્વ ગુણા એક સ્થાને એકઠા થઇને આવી રહ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy