SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦ ] ૪૬૧ વિગેરે સર્વ સાંભળે છે-એ વાંચનારના ધ્યાનમાં હશે. આટલી વાત સાંભળીને વચ્ચે અગૃહીતસંકેતાએ પૂછ્યું “ અરે સંસારીજીવ ! તું જે વાર્તા કહે છે તેમાં ાિતિપ્રતિષ્ઠિતપુર નગરમાં મોટી શક્તિ (વીર્ય) વાળા કમવલાસ નામના રાજા છે એમ તેં પ્રથમ કહ્યું હતું અને વાર્તા આગળ ચાલતાં અનેક પ્રકારના શાસન કરનાર શત્રુન્દેન રાજા તેજ નગરમાં છે એમ કહ્યું ! તે એ બન્ને વાત કેમ ઘટી શકે ?` સંસારીજીવ— ભાળી મહેન ! જ્યારે હું ( મારે જીવ ) નંદિવર્ધન હતા અને જે વખત વિદુર મારી પાસે એ વાર્તા કરતા હતા ત્યારે મેં પણ તેને એજ સવાલ પૂછ્યો હતા, જેના જવાબમાં વિદુરે મને જણાવ્યું હતું કે ‘ કર્મવિલાસને અંતરંગ રાજ્યના રાજા સમજવા અને શત્રુમદેનને બહિર્ગ રાજ્યના રાજા સમજવે. એ પ્રમાણે જ્યારે તમે વિચારશે ત્યારે આ વાતમાં જરા પણ વિરોધ જેવું લાગશે નહિ. વાત એમ છે કે અહિંગ રાજાઓની આજ્ઞા અપરાશ્રીએ ઉપર ચાલે છે, બીજા કોઇની ચાલતી નથી અને અંતરંગ રાજાએ તે ગુપ્ત રહીને લોકોને પેાતાની શક્તિ વડે સારાં ખરાબ નિમિત્તો જોડી આપે છે ( જેઓએ શુભ કર્મો કર્યા હોય તેઓની સાથે સારાં નિમિત્તો જોડી આપે છે અને જેઓએ અશુભ કર્મો કર્યો હાય તેની સાથે ખરાબ નિમિત્તો જાડી આપે છે); પછી નિમિત્તને લઈને સારાં ખરાબ ફળ પ્રાણી ભાગવે છે. બાળને જે જે દુ:ખ થયાં તે પરમાર્થથી તે કર્મવિલાસ રાજાની પ્રતિકૂળતાને લીધે જ થયાં એમ તારે સમજવું. ' આ પ્રમાણે વદુરે કહ્યું ત્યારે મારા મનમાં જે રાંકા થઇ હતી તે દૂર થઇ. હવે તું સમજી ? ત્યાર પછી નંદિવર્ધન કુમાર પાસે વિદુરે વાર્તા આગળ કહી તે હવે સંભળાવું છું.'' } માળના હાલહેવાલ. મધ્યમબુદ્ધિની વ્યવહારૂ વિચારણા, વિદુર કહે છેઃ—મહા મુરકેલીથી એક પહેાર રાત ગઇ ત્યારે માળ પોતાના ઘર નજીક આવી પહોંચ્યા. હવે બીજી માજુએ તે દિવસે સવારમાંજ મધ્યમબુદ્ધિએ માળના આગલી રાતના સર્વ હેવાલ લેાકેા પાસેથી સાંભળ્યા હતા. આળ ઉપર તેને હજુ પણ એહ હોવાને લીધે ઉપરની હકીકત સાંભળીને તેને ઘણા શાક થયા અને તે પેાતાના મનમાં દીલગીર થવા લાગ્યા કે · અહા ! ખાળને આટલું બધું દુ:ખ કેમ થયું ? ' વળી વધારે વિચાર કરતાં તેના મનમાં આનંદ થયા અને ચિંતવન થયું કે ઃ અહે ! મનીષીનાં વચન પ્રમાણે કરવાનું અને નહિ ફરવાનું આ ભવમાંજ કેવું પરિણામ થાય છે તે ખરેખર વિચારવા ૧ શત્રુમર્દન રાજાએ ખાળને કેવી કર્થના કરી વિગેરે, 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy