SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ C એની બુદ્ધિ શ્રી અર્હપરમાત્માના આગમના બાધથી પવિત્ર થયેલી હતી. તેણે એક દિવસ રાજાપાસે નમ્રતાપૂર્વક માગણી કરી હતી કે કાઇ પણ હિંસાના કામમાં તેના ઉપર મહેરમાની કરીને તેની સલાહ પૂછવી નહિ. રાજાએ પ્રધાનની તે માગણી કબૂલ રાખી હતી. આટલા માટે એ સુબુદ્ધિ પ્રધાન સાથે વિચાર કર્યા વગર જ રાજાએ પેાતાના સેવકાને ફરમાન કર્યું કે · એ અધમ પાપીને અનેક પ્રકારની પીડા નીપજાવીને પછી મારી નાખેા. ’ માળને દેહાંતદંડની આવી ભારે શિક્ષા થતી જોઇને રાજ્ય તરફથી જાણે મેટા લાભ થયેા હાય તેમ લોકો બહુ રાજી થયા. ત્યાર પછી માળને એક ગધેડા ઉપર બેસાડવામાં આવ્યા, તેની ડોકમાં રામપાત્રના હાર પહેરાવવામાં આવ્યા, લાકડી મુઠ્ઠી અને લોઢાના સળીઆથી ચોતરફ તેના ઉપર પ્રહાર કરવામાં આવ્યા અને તેવી સ્થિતિમાં આક્રંદ કરતાં અને બીજા માણસે પેતાની તરફ અત્યંત કડવાં વચને બેલે તે સાંભળતાં બાળને નગરના રાજ્યમાર્ગ, ત્રીભેટા, ચાક અને બજારમાં સર્વ ઠેકાણે ફેરવવામાં આવ્યો. નગર ઘણું મોટું હોવાને લીધે સર્વત્ર ફેરવવામાં લગભગ આખા દિવસ નીકળી ગયા. સાંજ પડવા આવી ત્યારે તેને વધ કરવાને સ્થાનકે રાજસેવકે લઇ આવ્યા. ત્યાં આગળ એક ઝાડની શાખા સાથે તેને ગળાફાંસા દઇને લટકાવવામાં આવ્યા અને તેને એવી રીતે લટકાવેલા જોઇને નગરવાસી જના શહેરમાં પાછા ફર્યાં. દેહાંત દંડની આકરી સજા. હવે ભવિતવ્યતાને લીધે માળના ગળામાં જે દેરડું બાંધવામાં આવ્યું હતું તે તૂટી ગયું,' માળ નીચે પટકાઇ પડ્યો, તેને મૂર્છા આવી ગઇ, મડદા જેવા ચેષ્ટા વગરના થઇ ગયા, બહારના મંદ મંદ આવતા ઠંડો પવન તેના શરીરને લાગ્યા તેથી ધીમે ધીમે તેને ચેતના આવી એટલે જમીનને વળગતા વળગતા અને નિસાસાના અવાજ કરતા તે પેાતાના ઘર તરફ ગયો. પાસ ત્રુટથો; ઘરે ગયા. એક ખુલાસા { કુમાર મંદિવર્ધન પાસે આ વાર્તા વિદુર કહે છે, આખી વાર્તા સંસારીજીવ સદ્યાગમ સમક્ષ કહે છે અને અગૃહીતસંકેતા ૧ અસલ ફાંસી એકવારજ થતી, જે દેર તૂટે તેા ગુન્હેગારનાં નશીબ ! હમણાં હુકમ લખે છે તેમાં જીવ જતાં સુધી લટકાવી ફાંસી આપવી એમ ખાસ જણાવેછે; નહિ તે! ફાંસીએ ચઢાયેા એટલે સજા પૂરી થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy