SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦ ] માળના હાલહેવાલ. મદનકુંદળીને પ્રાપ્ત કરવાના ખાળના પછાડા, ફસાઇ જતાં આખી રાત્રી ભયંકર યાતના. લોકોને તિરસ્કાર, સજા, દુ:ખ અને ભય. માળના શરીરમાં જેવા તે અન્ને ( માતા અને સ્પર્શન ) દાખલ થયા કે તુરતજ મદનકંદળી સાથે વિષયસુખ ભોગવવાની બળવત્તર ઉત્સુકતા માળને વધી પડી, તેના શરીરમાં દાહ થવા લાગ્યા, તેને અગાસાં આવવા લાગ્યાં, તે બિછાનાપર પડી ગયા અને આમથી તેમ અને તેમથી આમ શરીર પછાડવા લાગ્યા. આવા પ્રકારની તેની ચેષ્ટા મધ્યમબુદ્ધિએ દૂરથી જોઇ, તેને માળ ઉપર દયા આવી, પણ મનીષીનું વચન સંભારીને તેણે માળના સમાચાર પણ પૂછ્યા નહિ. આ વખતે સૂર્ય અસ્ત થયા. રાતના પહેલે પહારે જ બાળ અહાર નીકળી પડ્યો. મધ્યમબુદ્ધિએ તેને બહાર નીકળતા જોઇને તેની તરફ તિરસ્કાર બતાવ્યા પણ આ વખતે તે તેની પછવાડે ગયા નહિ. પેલા માળ શત્રુમર્દન રાજાના રાજભુવન પાસે આવી પહોંચ્યા, અને ગમે તે પ્રકારે રાજભુવનમાં દાખલ થયા. દૂરથી મદનકંદળીનું અંત:પુર જોયું એટલે તે તરફ તેણે ચાલવા માંડ્યું. લોકેાની હાજરી તે વખતે બહુ ગીચોગીચ હોવાને લીધે, રાત્રીના અંધકારને લીધે, ચોકીદારો બીજા કામમાં ધુંચાઇ ગયેલા હોવાને લીધે, કોઇ પણ ન જુએ તેવી રીતે ખાળ મદનકુંદળીના વાસભુવનમાં દાખલ થઇ ગયો. તેના મધ્યભાગમાં જાજ્વલ્યમાન પ્રકાશ કરતા દીવાઓની નીચે માટી કિમતને એક વિશાળ પલંગ તેના જોવામાં આવ્યા. તે વખતે મદનકંદળી રાણી શયનગૃહની નજીકમાં આવી રહેલી બાજુની પ્રસાધન શાળામાં પેાતાના શરીરપર કપડાં અલંકારો ધારણ કરતી હતી, રાણગાર સજતી હતી. પેલી શય્યાને શૂન્ય જોઇને બાળપણાને લઇને માળ તેના ઉપર ચઢ્યો; શય્યા બહુ કામળ છે તે વિચારથી તેના મનમાં આનંદ થયા; શય્યાપર પાથરેલ પ્રાવરણું ઉપાડીને બાજીપર મૂકી મદનકુંદળીના વાસભુવનમાં. ૪૫૭ ૧ લેાકાના ટોળામાં તે દાખલ થઇ ગયા એમ જણાય છે. ૨ Toilet room. કપડાં, આભૂષણેા ધારણ કરવાં, કેશ એળવાં વિગેરે રાણગાર સજવાના ખાનગી ઓરડે. Jain Education International ૩ શ્રાવરણ: પાથરેલ શય્યાપર ધૂળ ન લાગે તે માટે પાથરેલું એછાડ ઉપરનું ખાસ વસ્ત્ર. સુતી વખતે પ્રાવરણ ઊંચકીને બાજીપર મૂકવાને રિવાજ છે. એને અર્થ ‘ પીછેાડી ’ પણ થાય છે. . ૫૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy