SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ તારા ઉપર બહુ કરૂણું આવી, વળી પેલા પાપી મિત્ર (સ્પર્શન )ની સેબતથી ઉત્પન્ન થતી આવા પ્રકારની પીડાઓથી હું મુક્ત રહ્યો એવા વિચારથી મને મારી જાતમાં–મારા આત્મામાં વિશેષ મનીષીનું શ્રદ્ધા–પાકે ભરોસે આવતે ગયે. વળી મહાત્માવર્તન. એ ગુણ ઉપર અને ગુણવાળા પ્રાણીઓ ઉપર વિશેષ પ્રમાદવાળા થાય છે–તેઓ ગુણ જોઈને રાજી રાજી થઈ જાય છે એ વિચારથી આ પાપી મિત્ર સ્પર્શન જે સર્વ અનર્થોનું મૂળ છે તેને પિતાના પાસેથી એકદમ દૂર હાંકી મૂકનાર મહાત્મા ભવજંતુ ખરેખર પુણ્યશાળી અને ભાગ્યશાળી છે એ વિચારથી તેના તરફ પ્રમોદ થયો, તેના વિચારથી મનમાં આનંદ આવવા લાગ્યો અને તેને માટે મનમાં મોટું માન ઉત્પન્ન થયું. પિતાશ્રીએ તે આ હકીકત જાણું ત્યારે તેઓ અટ્ટહાસ કરીને ખૂબ હસ્યા. મેં તેઓશ્રીને એ પ્રમાણે હસવાનું કારણ પૂછયું ત્યારે તેઓએ મને જ ણાવ્યું કે “મને જ્યારે પ્રાણુઓ પ્રતિકૂળ થાય છે માતા પિતા ત્યારે તેઓને જે પ્રમાણે સાધારણ રીતે થાય છે ને મત. તેવું જ બાળને થયું છે તેથી મને તે એ હકીકતથી આનંદ થાય છે. માતા સામાન્યરૂપાએ તો શેક કરીને રાડ પાડવા માંડી અને પિતાનો પુત્ર ક્યાં ગયો હશે એ વિચારથી બહુ દીલગીર થઈ ! પોતાના પુત્રને આવી કઈ પણ પ્રકારની અડચણ થઈ નહિ એ વિચારથી મારી માતા (શુભસુંદરી) આનંદ પામી. બાળને કેઈ ઉપાડી ગયું છે એવી વાર્તા સાંભળીને નગરના ૧ પારકાનું હિત ચિતવન કરવું તે મૈત્રીભાવ, ગુણ અને ગુણવાન તરફ પક્ષપાત કરવો તે અમેદભાવ, સંસારથી પીડા પામતા પ્રાણીઓ પર દયા કરવી તે કરૂણા ભાવ અને નિવારણ ન કરી શકાય તેવા દે તરફ ઉપેક્ષા રાખવી એ માધ્યસધ્યભાવ. અત્ર બીજી પ્રમોદ ભાવનાની વાત કરી તેમાં ગુણવાન તરફ રાગ થાય છે. ૨ ભવજતુના વિગથી સ્પર્શને આત્મઘાત કરતો હતો તે હકીક્ત યાદ કરવા માટે જુઓ આ પ્રસ્તાવનું પ્રકરણ ત્રીજું, એવા પ્રાણુ તરફ પ્રમાદ આવ તે મુમુક્ષુને માટે તદ્દન સ્વાભાવિક છે. ૩ મારા વિચાર પ્રમાણે અહીં બાળની માતા અકુશળમાળાએ રાડ પાડી એમ હોય તે વધારે ઠીક લાગે. મૂળમાં સામાન્યરૂપનું નામ સ્પષ્ટ આપ્યું છે, અથવા મધ્યમબુદ્ધિ પછવાડે ગયો તે સંબંધમાં સામાન્યરૂપાએ નિઃસાસા મૂકયા એ અર્થ પણ નીકળી શકે છે. મો. ગિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy