SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯] બાળમધ્યમમનીષી અને સ્પર્શન. ૪૫૧ મનીષીબભાઈ મધ્યમબુદ્ધિ! કામદેવના મંદિરમાં જે બનાવ બન્યો હતો તે તે ઘણું લેકની દેખતાજ બન્યો હતો તેથી તેઓ તે જાણે તેમાં નવાઈ નથી. હવે વિદ્યાધરે બાળને ઉપાડો તે હકીકત લોકોના જાણવામાં કેવી રીતે આવી એમ તું પૂછતે હો તે તેને ખુલાસો એ છે કે તે રાત્રીએ જ્યારે વિદ્યારે બાળને ઉપાડ્યો ત્યારે તારા હાહારથી અને “હું આબે, હું આવ્યો” એવા પોકારથી ઘણું માણસે ઉંઘમાંથી જાગી ગયા હતા. તેઓએ એ સર્વ હકીક્ત આખા નગરમાં ફેલાવી.” મધ્યમબુદ્ધિએ વિચાર કર્યો કે બાળ ગમે તેવો પણ પિતાને ભાઈ છે એમ ધારીને પિતે તેની હકીકત છુપાવી રાખતા હતા, પણ એની વાત તો ઘણું જાહેર થઈ ગઈ હોય એમ જણાય છે. સારી રીતે છુપાવીને કેઈ કામ કર્યું હોય તો પણ તે લેકમાં ઘણે ભાગે પ્રગટ થયા વગર રહેતું નથી અને ખાસ કરીને પાપ તો તુરતમાં જરૂર પ્રસિદ્ધ થઈ જાય છે, તેટલા માટે પોતાનાં કરેલાં પાપાચરણે છુપાવવા માટે પ્રાણીઓ પ્રયાસ કરે છે તે તેમની મિથા બુદ્ધિજ છે. આવા પ્રકારે પ્રયત્ન કરવો તે મેહની એક પ્રકારની રમત જ છે, આ પ્રમાણે પોતાના મનમાં વિચાર કરીને મધ્યમબુદ્ધિએ મનીષીને કહ્યું “ ભાઈ મનીષી ! આ હકીકત સાંભળીને તે શું કર્યું? પિતાજીએ શું ધાર્યું ? માતાજી એ શું કર્યું? અને નગરવાસી જનોએ શું વિચાર કર્યો? એ સર્વે હું તારી પાસેથી જાણવા ઈચ્છું છું.” મનીષી–“ભાઈ મયમબુદ્ધિ! સાંભળ. સજજન પ્રાણુંઓએ દુર્ગુણું પ્રાણ તરફ ઉપેક્ષા રાખવી જોઈએ એવી બાળ તરફ જાદી ભાવનાથી મને બાળ તરફ માધ્યÀ ભાવ રહ્યો જૂદી ટીકાઓ. તેમજ કલેશ પામતા પ્રાણી ઉપર સજજન પુરૂષોએ દયા રાખવી જોઈએ (કરૂણું ભાવ)* એ વિચારથી મને ૧ યોગની ચાર ભાવના છે: મૈત્રી, પ્રમોદ, કરૂણા, અને માધ્ય. ચોથી માધ્યશ્ચ ભાવનામાં-પ્રાણું કર્મને વશ છે, કોઈ પ્રાણુ નિર્ગુણ હોય તો તેને ઉપ૨ ક્રોધ કરવો ઉચિત નથી, એમ વિચારી તેના સંબંધમાં મૌન રાખવું અને દોષ તરફ બેદરકારી બતાવવી, તે દો ઓછા થઇ શકે તેવું હોય તો તેને ઉપાય કરવો, પણ અટકાવી ન શકાય તેવા દેષ હોય તો તેના તરફ ઉપેક્ષા રાખવી એ માધ્યશ્ય ભાવનાનું લક્ષણ છે. (અ. કલ્પદ્રુમ-હિ. આવૃત્તિ–પૃ. ૩૭ જુઓ) ૨ દીન, દુઃખી, પીડા પામતા પ્રાણીઓ ઉપર દયા તે કરૂણાભાવ-પગની ત્રીજી ભાવના, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy