SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૯ ] આળમધ્યમમનીષી અને સ્પર્શન. ૪૪૯ ' " મધ્યમક્ષુદ્ધિ— મારા શાકનું કારણ અલૌકિક છે, ભારે જબરૂં છે. મનીષી—‹ તેવું અસાધારણ કારણ શું છે ? ’ તે વખતે મધ્યમમુદ્ધિએ ઉપવનમાં પોતે માળ સાથે ગયા ત્યારથી માંડીને બાળને વિદ્યાધરે ઉપાડ્યો, તેના શરીરમાંથી માંસ અને લાહી લીધાં વિગેરે સર્વ હકીકત કહી સંભળાવી. મનીષીએ આ સર્વ હકીકત અગાઉ જાણી હતી છતાં પણ અજાણ્યાની પેઠે દેખાવમાં આશ્ચર્ય બતાવીને સર્વ હકીકત મધ્યમમુદ્ઘિ પાસેથી અરામર સાંભળી. ત્યાર પછી મનીષી મેક્લ્યા “ અરે ! માળને આવું તે શું થયું ? એ ઠીક તેા ન થયું. જો કે મેં તેા તને પ્રથમથીજ કહ્યું હતું કે બાળ પાપી સ્પર્શન સાથે સંબંધ કરે છે તે જરા પણ સારૂં નથી. આ માળને જે અનર્થી પ્રાપ્ત થયા છે તે સર્વ મારા સમજવા પ્રમાણે એ સ્પર્શને કરેલા છે; કારણ કે એ પાપી સ્પર્શન આર્યપુરૂષને ઘટે નહિ તેવાં અકાર્ય કરવાના વિચારનું કારણ છે અને જ્યારે પ્રાણી આર્યપુરૂષને ન ઘટે તેવાં કામેા કરવાના એક વખત સંકલ્પ કરે છે ત્યારે અધમ ચિત્તવૃત્તિને લીધે અને પાપના ઉદયનું બહુ જોર થઇ ગયેલું હાવાને લીધે જેમ માછલું કાંટામાં રહેલ ગળપણવાળા અન્નને ટુકડા ખાવા લલચાઇ જાય છે અને સપડાઇ જાય છે, તેમ એક પણ કાર્ય સિદ્ધ કર્યા વગર આપત્તિના ખાડામાં ઢળી પડે છે અને મરણ પણ પામે છે. ઊંધા અને ઉલટા રસ્તાથી કોઈ દિવસ કાઇ પણ પ્રાણીનું કાર્ય સિદ્ધ થયું નથી અને થવાનું નથી. સુખ મેળવવા માટે આર્યપુરૂષને ન ઘટે તેવાં કામે કરવાનેા સંકલ્પ કરવા તે ઊંધેા માર્ગ છે. એવા ખાટા સંકલ્પ કરવામાં આવે છે ત્યારે તે ધીરજના નાશ કરે છે, વિવેકને વેચી દે છે, ચિત્તને મલિન કરે છે અને લાંખા વખત પૂર્વે જે પાપા કર્યા હેાય તેને ખેંચીને ઉદયમાં લાવી મૂકે છે અને છેવટે પ્રાણીને સર્વ અનર્થોના માર્ગ પર લાવી મૂકે છે. આ પ્રમાણે હેાવાથી આર્યપુરૂષને ન ઘટે તેવાં કામના સંકલ્પ કરવા તેમાં સુખની ગંધ પણ ક્યાંથી હેાઇ શકે? બાળને આવી મહા ભયંકર પીડા ભોગવવી પડી તેનું કારણ માત્ર તેણે મારી શિખામણ ન માનતાં પેાતાના મનમાં આવ્યું તેમ કબૂલ રાખી સ્પશૅન સાથે સંબંધ વધારતા ગયો તેજ છે. માળે શિખામણ ન માની તેના જવાબદાર તે પેાતે છે, તેમાં તું શાક શા માટે કરે છે?” ૧ આ વ્યવહારવચન છે. પીડા થાય તે તે ઠીક નહિ, જો કે માળ તે તેને સર્વથા યાગ્ય છે. આગળ મનીષીના વિચાર વાંચવાથી આ સ્પષ્ટ થશે. ૫૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy