SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ તેને નમસ્કાર કર્યાં અને વિદ્યા તે સાધકના શરીરમાં દાખલ થઈ. મારા શરીરમાંથી માંસ તથા લોહી નીકળેલ હોવાને લીધે દયા આવે તેવી રીતે મને રડતા જોઇને રાજાને મારા ઉપર કરૂ! આવી અને અંદર શ્વાસ લેતા રાજાએ દાંતને અવાજ કર્યાં. રાજાને તેમ કરતા જોઇને વિદ્યાધરે વાર્યાં અને કહ્યું રાજન્ ! આ વિદ્યાના એવા કલ્પ (નિયમ ) છે કે જે પ્રાણીની તે વિદ્યાને આહુતિ આપી હોય તેના ઉપર સાધના કરનારે દયા લાવવી ન જોઇએ. ' એ પ્રમાણે મેલીને પેલા વિદ્યાધરે મારા શરીર ઉપર કોઇ જાતને લેપ લગાડ્યો. તે વખતે જાણે ચારે તરફ લાગેલા અગ્નિથી મળી જતા હાઉં, વજ્રથી જાણે ચુરાઇ જતા હેા, ઘાણીથી જાણે પીલાઇ જતેા હાઉં, તેમ હું ઘણી આકરી પીડા પામવા લાગ્યો, પણ મારૂં પાપી જીવન તે વખતે પણ પૂરૂં થયું નહિ, હું મરણ પામ્યા નહિ અને એક ક્ષણવારમાં દાવાનળથી બળેલા છાણા જેવું મારૂં શરીર થઇ ગયું. બન્ને જણા ( વિદ્યાધર અને રાજા ) મને ત્યાંથી ઉપાડીને નગરમાં લઇ ગયા. પછી મારા શરીર ઉપર સેાા લાવવા માટે મને ખાટી વસ્તુનું ખૂબ ભાજન કરાવ્યું, જે ખારાકને પરિણામે મારૂં આખું શરીર તદ્ન અહેવું થઇ ગયું. તેવીજ રીતે તે રાજાએ મારા માંસ અને લેાહીથી આહુતિ આપીને સાત દિવસ સુધી આડશે આરો જાપ દરરોજ કર્યાં. ત્યાર પછી તે જે અવસ્થામાં મને જોયા તે ભાઇ ! તું સારી રીતે જાણે છે. ભાઇ ! આ મારા અનુભવની હકીકત છે. એ દુઃખના હું જ્યારે અનુભવ કરતા હતા ત્યારે મનમાં એમ થતું હતું કે જેવાં દુ:ખના મેં અનુભવ કર્યો તેવું દુ:ખ પ્રાયે ( ઘણું કરીને ) નરકમાં પણ હશે નહિ.” ? મધ્યમમુદ્ધિએ અત્યંત દીલગીરી સાથે આ ખાળના દુઃખી અનુભવના વૃત્તાંત સાંભળીને કહ્યું · ભાઇ માળ ! ખરેખર, તારે માથે આવું દુ:ખ ન ઘટે ! અરેરે ! એ પાપી વિદ્યાધર કેવા દયા વગરના ! અને તે વિદ્યા પણ કેવી ભયંકર ! મનીષીએ આપેલા વ્યવહારૂ ધ હવે તે વખતે લેાકાચારને અનુસરીને માળની ખબરઅંતર પૂછવા માટે મનીષી ત્યાં આવ્યા, તેણે બારણામાં ઊભા ઊભા ઉપર પ્રમાણે શાક કરતા મધ્યમમુદ્ધિને સાંભળ્યા. તેજ વખતે તે અંદર દાખલ થયા. તેને મધ્યમબુદ્ધિએ બેસવાનું આસન આપ્યું અને તેની સાથે વાતચીત કરવા માંડી. થોડી વાતચીત થયા પછી મનીષીએ પૂછ્યું—‘ અરે ભાઇ મધ્યમમુદ્ધિ ! તું આ પ્રમાણે શાક શા માટે કરે છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy