SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮] મદનકંદળી. ૪૪૧ બાળનો અંતસ્તાપ હવે મધ્યમબુદ્ધિએ બાળકુમારને પૂછ્યું. ભાઈ! તને હવે તે શરીરે કાંઈ પીડા નથી થતી ને?” બાળ–“શરીરે તે પીડા નથી થતી, પણ મારા મનમાં સંતાપ થતો જાય છે અને વધતો જાય છે.” મધ્યમબુદ્ધિ—પણ એ સંતાપ તને શા કારણથી થાય છે તેનું કારણ તું જાણે છે? ” કામદેવ હંમેશાં વાંકે હોય છે અને તેની પ્રવૃત્તિઓ વિપરીત હોય છે, તેથી બાળે સીધે ઉત્તર ન આપતાં કહ્યું “હું તે જાણતો નથી. પણ વારૂ, તું કામદેવના મંદિરમાં વાસભુવનના બારણે આગળ ઊભો હતો તે વખતે તે વાસભુવનમાં પ્રવેશ કરતી અથવા બહાર નીકળતી કેાઈ સ્ત્રીને જોઈ હતી કે નહિ?” | મધ્યમબુદ્ધિ–“હા, એક સ્ત્રીને જોઈ હતી, પણ તેનું તારે શું છે? બાળ–“ ત્યારે તે કોણ હતી એ પણ તે જાણ્યું હશે?” મધ્યમબુદ્ધિ–“હા, સારી રીતે જાણ્યું હતું એ શત્રુમર્દન રાજાની રાણી મદનકંદળીને નામથી સારી રીતે પ્રસિદ્ધ છે.” મધ્યમબુદ્ધિને આ જવાબ સાંભળીને “અરેરે ! એવી સ્ત્રી મારા જેવાને ક્યાંથી હોય?” એવી ચિંતામાં પડી બાળે લાંબે નિઃશ્વાસ મૂક્યો. મધ્યમબુદ્ધિ વ્યવહારકુશળ હોવાથી પોતાના મનમાં સમજી ગયો કે આ ભાઈસાહેબ એ મદનકંદળીના અથી થઈ ગયા જણાય છે. પછી મધ્યમબુદ્ધિએ વિચાર કર્યો કે આ ભાઈસાહેબને એ મદનદળી ઉપર રાગ થયો છે તે એક રીતે નવાઈ જેવું ન ગણાય. એ મદનકંદળી સુંદર હોવાને લીધે માણસોને પોતાની તરફ આકર્ષણ કરી પોતાના સંબંધમાં અભિલાષા ઉત્પન્ન કરાવે છે. મંદિરનાં બારણું સાંકડાં હોવાને લીધે તે સ્ત્રીને સ્પર્શ તે મંદિરમાંથી બહાર નીકળતી હતી તે વખતે મને પણ થયો હતો અને ત્યારે મને પણ એમ લાગ્યું હતું કે એ વાસભુવનમાં બીજી કોઈ પણ વસ્તુને સ્પર્શ એ સારે નહિ હોય અને તે વખતે મારું મન પણ જરા ડોળાઈ ગયું હતું અને તેની પછવાડે જવાને લલચાઈ ગયું હતું, પણ કુલીન માણસેએ પરસ્ત્રી પાછળ ગમન કરવું ઉચિત નથી એવા વિચારથી હું તુરતજ તે વખતે પાછો હટી ગયે હતે. આ ભાઈશ્રી પણ મારું વચન માને તો બરાબર હકીકત સમજાવીને તેને બેટું કાર્ય કરવાથી વારૂંઆ પ્રમાણે પિતાના મનમાં વિચાર કરીને મધ્યમબુદ્ધિ બે “અરે ભાઈ ૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy