SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ માળ ! હજી પણ તું સૂખ-અજ્ઞાન રહ્યો ! આ તે કેટલું અંધેર ! અવિનયનું કેવું ખરાબ પરિણામ આવે છે તે તેં જાતે હમણાજ નથી અનુભવ્યું ? તારા પ્રાણ તેા ગળે આવી ગયા હતા અને તારા દુર્તિનયને લીધે ભગવાન મકરધ્વજ ( કામદેવ ) તારા ઉપર ઘણા ગુસ્સે થઇ ગયા હતા તેના હાથમાંથી તને મહા મુશ્કેલીએ છેડાવ્યા એ વાત તું આટલી વારમાંજ ભૂલી ગયા? માટે ભાઇ ! આવા ખેાટા ખોટા વિચારો મૂકી દે. વિષ સર્પના માથામાં રહેલ મણિને અતાવનાર–સૂચવનાર' એ મદનકંદળી છે એમ તું સમજ. એ સ્ત્રીની ઇચ્છા કરવાના પરિણામે તું પોતે બળીને ખાખ થઇ જઇશ અને તારા એક અર્થ પણ સિદ્ધ થશે નહિ એ તું ચાસ માનજે, ” મધ્યમબુદ્ધિના આવા વિચાર સાંભળીને ખાળ સમજી ગયા કે મધ્યમમુદ્ધિ પેાતાને હવે બરાબર ઓળખી ગયા છે તેથી પેાતાના મનમાં શું વિચાર ચાલે છે તે તેનાથી છુપાવવાની જરૂર રહી નથી. આ પ્રમાણે હાવાથી મળે તેને સ્પષ્ટ રીતે કહ્યું “ અરે ભાઇ ! એમ છે ત્યારે તે મને છેડાવ્યા એમ તું શાને કહે છે? એમજ કહેને કે તેં જ મને વધારે માર ખવરાવ્યા ! કારણ કે તારા વચનથી કામદેવે મને છેડી દીધા તેથી મારા શરીરને જે વેદના થતી હતી તે ઓછી થઇ છે; પણ મારા ઉપર તર્કવિતર્ક ( સંકલ્પ વિકલ્પ) ની પરંપરા રૂપ ખેરના અંગારાના ઢગલા નાખી દીધા છે અને તેથી મારૂં આખું શરીર મળે છે, જળે છે અને ફફડે છે. કામદેવે જ્યારે મને અંધન કરવા માંડ્યું તે વખતેજ જે હું મરી ગયા હોત તે મને આટલી બધી વેદના થાત નહિ; તેં મને છેડાવીને તે આ માટે અનર્થ કરી મૂક્યો છે. મારા મનમાં આવડો માટે સંતાપ થયા છે તેને ઓલવવા માટે પેલી મદનકંદળીના મેળાપ રૂપ અમૃતના વરસાદ વગર ખીો ઉપાય નથી. મારે હવે તને વધારે શું કહેવું ? ” મધ્યમબુદ્ધિ તે વખતે પેાતાના મનમાં સમજી ગયા કે આને ગુણુને બદલે દોષ બેઠો; વળી તેને એ પણ જણાયું કે એને મદનકંદળી તરફ એટલું બધું આકર્ષણ થયું છે કે એ હાલ કોઇ પણ રીતે ઓછું થઇ શકે, કે એ આખતમાંથી એ ભાઇ પાછા હઠે, એવું લાગતું નથી. આ બધી હકીકત જોઇને તે ચૂપ બેસી રહ્યો. ૪૨ મધ્યમમુદ્ધિની સલાહ. માળના જવાબ. ૧ દૃષ્ટિવિષ સર્પની આંખમાં ઝેર હેાય છે; એ દૂરથી નજર ફેંકે ત્યાં પ્રાણીને ઝેર ચઢવા માંડે છે. એવા સર્પના માથામાં મણિ હેાય તે લેવા પ્રયત્ન કરવા એ મરને મળવા જવા જેવું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy