SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ સર્વ અનર્થો અને દુઃખ સહન કરે છે તે આમાં શું નવાઇ? એમ કહીને વિવેકી લેકેએ તેની ઉપેક્ષા કરી. હવે તે વખતે પેલા વ્યંતરે ભયંકર રૂપ ધારણ કરીને કહ્યું “આ દુરાત્મા બાળના તમારા સર્વને દેખતાં ટુકડે ટુકડા કરીને હું તેને મારી નાખું છું.” તે સાંભળી મધ્યમબુદ્ધિએ હાહાર કરી મૂક્યો અને વ્યંતરને પગે પડીને બોલ્યો “અરે અરે ! કૃપા કરે, કૃપા કરે; દયા કરો, દયા કરે. મારા ભાઇના પ્રાણુની હું તમારી પાસે ભિક્ષા માગી લઉં છું; મહેરબાની કરીને તેને બચાવી લે." લેકોને પણ મધ્યમબુદ્ધિના કકળાટથી તેના ઉપર દયા આવી ગઈ તેથી તેઓ પણ બોલ્યા “અરે ભટ્ટારક! એને બાપડાને એક વાર જવા દો, ફરીવાર તે દેવને અપમાન કરવાનું કામ નહિ કરે. તે વખતે મધ્યમબુદ્ધિ ઉપર કરૂણું આવવાને લીધે અને લેકેના અતિ આગ્રહથી વ્યંતરે બાળને જાતે કર્યો. બાળને થોડીવાર પછી શરીરમાં ચેતના આવી, શરીર ઉપર ઘા વાગવાથી કળ ચઢી ગઇ હતી તે નરમ પડવા લાગી અને જરા ફુર્તિ આવી એટલે મધ્યમબુદ્ધિ તેને મંદિરમાંથી બહાર લઈ આવ્યો અને મુશ્કેલીથી તેને ઘરે (રાજમંદિરે) લઈ ગયો. કર્મવિલાસ રાજાએ પોતાના પરિવાર પાસેથી આ સર્વ હકીકત સાંભળી ત્યારે પોતાના મનમાં તેણે વિચાર કર્યો કે બાળ અને અરે આ તો બાળને હજુ શું થયું છે? પણ હવે કર્મવિલાસ, તો તેના આવા વર્તનથી હું તેને પ્રતિકૂળ થઈશ તેથી તેના હવે કેવા હાલ થશે તે તે આ લેકેના ખ્યાલમાં પણ નથી. આવા દુરાચારી અને દેવનું અપમાન કરનાર પુત્રને તે બરાબર સજા કરવી જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને કર્મવિલાસ રાજાએ પોતાના પરિવારને કહ્યું “અરે એવા અવિનયી તોફાની છોકરાની આપણે તે શા માટે ચિંતા કરવી જોઈએ? આપણું અનુશાસનને પણ હવે તે ગ્ય રહ્યો નથી. આપણું કઈ પણ માણસે તેની સાથે જરૂ૨ ઉપરાંત વ્યાપાર-સંબંધ કરવો નહિ-આ પ્રમાણે હું સર્વને હુકમ કરું છું.” કર્મ પરિણામ મહારાજાની આ આજ્ઞા તેના આખા પરિવારે પિતાને માથે ચઢાવી. ૧ કર્મવિલાસની સજાઃ પોતાની ગેરવર્તણુક અનુસાર બાળ રાત્રીએ કરવા નીકળશે ત્યારે તેના કેવા હાલહવાલ થશે તે હકીકત સુરતમાંજ વાંચવામાં આવશે અને ભવિષ્યમાં પણ તેને મોટી સજા કર્મના વિપાક તરીકે થશે. આ હકીકત પર અત્ર રૂપક છે. ૨ અનુશાસનઃ નિયંત્રણ, સમજાવવું તે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy