SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮ ] મદનકુંદળી. ૪૩૮ દ્ધિએ બાળને જાગૃત કર્યાં પણ તે કાંઇ પણ સ્મેલ્યા નહિ. મધ્યમક્ષુદ્ધિએ કહેવા માંડ્યું “ અરે ભાઇ ! તેં આ ન કરવા યોગ્ય કામ કર્યું છે આ દેવની શય્યા ઉપર ચઢવું કે સુવું તે યોગ્ય નથી” વિગેરે વિગેરે. આવી રીતે ખાળને તેણે ઘણી રીતે સમજાવવા પ્રયત્ન કર્યો, પણ બાળ કુમારે મધ્યમબુદ્ધિને કાંઇ પણ જવાબ આપ્યા નહિ. હવે તે વખતે એ મંદિરના અધિષ્ઠાયક વ્યંતર ત્યાં દાખલ થયા. તેણે આકાશ બંધનથી ખાળને બાંધી લીધો, જમીનપર ૫છાડ્યો અને ફરીથી ઉપાડીને એટલા જોરથી તેને પડતા મૂક્યો કે તેના આખા શરીરે સખ્ત વેદના થવા લાગી. તેને આવી રીતે આરડતા જોઇને મધ્યમબુદ્ધિએ હાહારવ કર્યો એટલે એ શું હશે એ જોવાની ઇચ્છાથી કૌતુકને લીધે દેવમંદિર તરફથી અનેક લોકો વાસભુવન તરફ આવવા લાગ્યા. વ્યંતરે ધક્કા મારીને માળને વાસભવનમાંથી બહાર ધકેલી મૂક્યો અને મેટા ધડાકા સાથે જમીનપર પછાડ્યો, જેને પરિણામે તેની આંખ પરની ભમર ભાંગી ગઇ અને ગળે પ્રાણુ આવી ગયા. આવી સ્થિતિમાં માળને સર્વ લેાકાએ જોયો. તેની પછવાડે મધ્યમબુદ્ધિ પણ વાસભવનમાંથી અહાર નીકળ્યા પણ તેનું મન એકદમ દિલગીરીને લીધે નરમ પડી ગયું. મધ્યમબુદ્ધિ વાસભવનમાંથી બહાર આવ્યા એટલે એ બધી શેની ગડબડ છે એમ લેાકેા તેને પૂછવા લાગ્યા; પણ લાજનેા માર્યો તે લેાકેાને કાંઇ પણ જવાબ આપી શક્યો નહિ. તે વખતે પેલા વ્યંતર કોઇ પુરૂષના શરીરમાં દાખલ થયો અને તેણે સર્વ હકીકત બની હતી તે લેાકેાને કહી સંભળાવી. આ હકીકત સાંભળીને મકરધ્વજના ભક્ત લેાકેા ત્યાં હાજર હતા તેઓએ એ માળને દેવનું અપમાન કરનાર ગણી એ મહા પાપી છે એમ બેાલીને તેને ઘણા તિરસ્કાર કર્યો, તેની જાતવાળાઓ કહેવા લાગ્યા “ એ તા આપણા કુળને કલંક લગાડનાર છે અને એક ખરેખર વિષ વૃક્ષ જેવા એ આપણામાં ઉ ત્પન્ન થયા છે.” એમ બોલીને તે સર્વે તેની નિંદા કરવા લાગ્યા. “ હવે એ બાળ પેાતાનાં પાપનાં ફળ ખરાખર ભાગવશે અને તેમ થવાને તે સર્વ રીતે યોગ્ય છે” એમ બેાલીને સામાન્ય લેાકાએ તેની ટીકા કરી અને “જે પ્રાણીએ વિચાર કર્યાં વગર કામ કરે છે તેઓ અંતર અને માળ. માળ અને લેાકેા. ૧ સ્પર્શનને વશ પડેલા પ્રાણીએ કલ્પનાના અંધનથીજ અંધાય છે; તેને માટે જાડા દેરડાંને ખપ પડતા નથી; કારણ કે કાચા સુતરના પ્રેમતંતુએ તાડવાની તેનામાં તાકાત રહેતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy