SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ કામદેવવશ બાળની સ્થિતિ, મદનકંદળી ત્યાંથી વિદાય થયા પછી બાળ કુમારની શી દશા થઈ તે જુઓ. એ સ્ત્રી પિતાને કેવી રીતે પ્રાપ્ત થાય તેના વિચારમાં અને ચિંતામાં બાળનું હૃદય શોકાતુર થઈ ગયું, તેના મનમાં વર્ણન કરી ન શકાય તેવો અંતતાપ થવા લાગે, તે પિતાની જાતને પણું ભૂલી ગયો અને શયામાં પડ્યો પડ્યો ગરમ ઊંડા નિઃસાસા ઉપર નિઃસાસા મૂકત જાણે મૂછ પામેલ હોય, જાણે મુંગે હય, જાણે ગાંડ હોય, જાણે પોતાનું સર્વસ્વ હરાઈ ગયેલે હેય, તપેલી શિલા પર જાણે મત્સ્ય પડ્યો હોય તેની માફક આમથી તેમ અને તેમાંથી આમ આડો અવળો આળોટતો લોટ અને શય્યામાં પછાડા મારતે તરફડવા લાગ્યો. બાળ વાસભુવનમાં આવી સ્થિતિ અનુભવતો હતો તે વખતે તેને ભાઇ મધ્યમબુદ્ધિ જે વાસબુવનમાં પ્રવેશદ્વાર આમધ્યમબુદ્ધિગળ તેની રાહ જેતે ઊભો હતો તેણે વિચાર કર્યો વાસભુવનમાં. કે અરે ! આટલે બધે વખત થયો તે પણ બાળ હજુ વાસભુવનમાંથી પાછે બહાર કેમ નીકળતા નથી? તે અંદર રહ્યો રહ્યો શું કરે છે તે જોઉં તો ખરે ! આ વિચાર કરીને મધ્યમબુદ્ધિ વાસભુવનમાં દાખલ થયો અને પોતાનો હાથ લગાડીને કામદેવની શય્યા જોઈ લીધી. એ શય્યા એટલી બધી કોમળ હતી કે તેને હાથ લગાડતાંજ મધ્યમબુદ્ધિનું મન પણ તેના તરફ હરણ થઈ ગયું. ( અંધારાને લીધે) તેણે ત્યાર પછી આંખો વધારે ઉઘાડીને જોયું તો શવ્યાના એક વિભાગપર ઉપર જણાવેલી દિશામાં આમ તેમ પછાડા મારતે બાળ તેના જેવામાં આવ્યું. બાળની એવી દશા જોઈને તેણે વિચાર કર્યો કે અહો ! આ ભાઇશ્રીએ આ શું અકાર્ય આદર્યું? દેવની શય્યા ઉપર ચઢવું યુક્ત નથી. રતિના રૂપને પણ શરમાવે તેવી ગુરુની સ્ત્રી હોય તેને સજ્જન પુરુષે ખ્યાલ પણ કરે જોઈએ નહિ, તેને સંબંધ કરવાનો સંકલ્પ પણ કરવો જોઈએ નહિ, કારણ કે તે વસ્તુ ખપેજ નહિઆ શયા ઘણું સુખ આપે તેવી છે પણ દેવ (કામદેવ-મદન મહારાજ ) ને અર્પણ થયેલી છે તેથી માત્ર વંદન કરવા યોગ્ય છે, પણ ઉપભેગ કરવા લાયક નથી–આવો પોતાના મનમાં વિચાર કરીને મધ્યમબુ( ૧ મધ્યમબુદ્ધિ એ “જાહેર અભિપ્રાય ” public opinion વ્યવહાર ધર્મ છે અને મનીષી એ જ આર્ષ સત્ય” absolute truism નિશ્ચયધર્મ છે એ ખાસ ધ્યાનમાં રાખવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy