SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ ] સંકીર્ણ કથા-ભાષા. ધૃતની આહુતિથી ઘણા વૃદ્ધિ પામે છે. જેમ મયૂરના ટહુકા શરીરના રામરાયને વધારે વિકસિત કરે છે તેમ કામ અને અર્થકથા પાપકાર્યમાં ઉત્સાહની વૃદ્ધિ કરે છે. તેટલા માટે કામકથા અને અર્થકથા કદાપિ પણ કરવી નહિ. કયા ડાઘો માણસ રક્ષત ઉપર ક્ષાર નાખવાને વિચાર કરે? પરોપકાર કરવામાં તત્પર વિચક્ષણ પ્રાણીઓએ સર્વ પ્રાણીઓનું ભલું થાય તેવું કામ કરવું જોઇએ કે જેથી પાતાનું ભલું પણ આ ભવ અને પરભવમાં જરૂર થાય. આ પ્રમાણે હેાવાથી લોકોને કામકથા અને અર્થકથા સારી લાગે છે તેાપણુ સમજી પ્રાણીએ તેના અવય ત્યાગ કરવા ઉચિત છે, કારણ કે તે બન્ને પ્રકારની કથાઓ જો કે કરતી વખતે જરા ઠીક લાગે છે, પણ પરિણામે બહુ ભયંકર છે. પરિણામે દુ:ખ આપનારી વસ્તુ કાઇ પણ રીતે આદરવી ઉચિત ગણાય નહિ, આ પ્રમાણે હકીકત સમજીને ભાગ્યવાન્ પ્રાણીઓ આ લોક અને પરલાકમાં સર્વ પ્રાણીઓનું હિત કરવાની ઇચ્છાથી અમૃત જેવી શુદ્ધ ધર્મકથા કરે છે. આશય. કેટલાક આચાર્યોં ધર્મ-અર્થ-કામ મિશ્ર સંકીણું કથા આકર્ષણ કરનારી હાવાથી અને માર્ગ પર લઇ આવનારી હાસંકીર્ણ કથાના વાથી તેને પણ સારી માને છે. જે કોઇ પ્રકારે પ્રાણીને બેધ આપી શકાય તે પ્રકાર આદરીને તેને ઉપદેશ આપવાના પ્રયત હિતેચ્છુઓએ કરવા ચેાગ્ય છે, સંસારરસિક મેાહાસક્ત મુગ્ધ પ્રાણીઓનાં મનમાં શરૂઆતમાં ધર્મ ભાસમાન થતા નથી, ઝળકતા નથી, તેના તરફ આકર્ષણ થતું નથી અને તેમ હાવાથી કામ અને અર્થ સંબંધી વાતે કરીને તેનાં મનનું આકર્ષણ કરી શકાય છે. એક વખત આવી રીતે કામ અને અર્થની કથા દ્વારા તેઓને ધર્મકથા તરફ દોર્યાં હોય તેા પછી તેઓ ધર્મ ગ્રહણ કરવાને શક્તિવાદ્ન થાય છે. આવી રીતે વિક્ષેપદ્વારથી સંકીર્ણ કથાને પણ સત્કથા કહેવામાં આવે છે. તેટલા માટે ૧ અગ્નિમાં ધી પડવાથી જેમ તે વધારે જોસથી મળવા માંડે છે, પ્રજ્વલિત થાય છે તેમ રાગ, દ્વેષ ને મેહરૂપ અગ્નિ ઉપરોક્ત કથાએ જે ધી જેવું કામ કરે છે તેનાથી બહુ સખ્ત થઇ વધારે આકરા થઇ પડે છે. ૭ ૨ ક્ષત=ધા, ગુમડું. ક્ષાર=ખાર, મીઠું, ધા ઉપર મીઠું નાખવાથી બળતરા બહુ વધી જાય છે. ૩ વિક્ષેપટ્ટારથી એટલે આડકતરી રીતે, ઉપચારથી. પરિણામે સુંદર હેાવાથી આશય ધ્યાનમાં રાખી વિશિષ્ટ હેતુને અંગે ઉપચારથી સંકીર્ણ કથાને શુદ્ધ કથા ગણવામાં આવે છે, પણ જ્યાં તેવા હેતુ ન હેાય તા સંકીણું કથા સત્કથા થતી નથી એ ખાસ ધ્યાનમાં રાખવા યાગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy