SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [ પ્રસ્તાવ ૧ કેવી રીતે આદર કરવા ગ્ય છે તે હકીકતનો સમાવેશ કરવામાં આવ્યું હોય છે તે કથાને ડાહ્યા માણસો ધર્મકથા કહે છે; આ કથા ચિત્તને નિર્મળ કરનારી હોવાથી પુણ્યનો અંધ અને કર્મની નિર્જરાને કરે છે, તેથી તેને સ્વર્ગ અને મોક્ષના કારણભૂત સમજવી. જે કથા અનેક પ્રકારના રસ યુક્ત ધર્મ, અર્થ, કામ એ ત્રણે વર્ગના સાધનભૂત ઉપાયોનું પ્રતિપાદન કરનારી હોય છે તેને સંકીર્ણ કથા કહેવામાં આવે છે. વિચિત્ર પ્રકારના અભિપ્રાયને બતાવનાર આ કથા અનેક પ્રકારનાં જુદાં જુદાં ફળ આપનારી છે અને પ્રાણુઓને વિદ્વાન બનાવવામાં હેતુભૂત થાય છે. આ કથાઓના સાંભળનાર શ્રોતાઓ પણ ચાર પ્રકારના મનુષ્યો હોય છે તેનું લક્ષણ ટુંકામાં કહું છું તે સાંભળોઃ શોતાના પ્ર- માયા, શક, ભય, ક્રોધ, લોભ, મોહ અને મદથી કાર. યુક્ત જે પ્રાણીઓ અર્થકથા સાંભળવા ઈચ્છે છે તેને તામસી પ્રકૃતિવાળા અધમ મનુષ્યો જાણવા. જે પ્રાણીઓનું મન રાગમાં રાચી માચી રહેલું છે અને જેઓ વિવેકથી રહિત છે તેવા રાજસી પ્રકૃતિવાળા પુરુષે “કામકથા સાંભળવા ઇચછે છે તેને મધ્યમ મનુષ્ય સમજવા. જે સાત્ત્વિક પ્રકૃતિવાળા મહા પુસની ઈચ્છા મોક્ષ મેળવવા માટે એક તાન થઈ રહી હોય છે અને તે સારૂ જેઓ અંતઃકરણપૂર્વક શુદ્ધ ધર્મકથા જ સાંભળવાને ઇચ્છે છે તેને ઉત્તમ પ્રાણુઓ જાણવા. જેઓ આ લેક અને પરલેક બન્નેની અપેક્ષાવાળા હોય છે અને કાંઈક સત્ત્વવાળા (તેજી) હોય છે તે “સંકીર્ણ કથા સાંભળવા ઈચ્છા રાખે છે તેવા પ્રાણીઓને “વર મધ્યમ” મનુષ્યો ગણવા. રાજસી અને તામસી પ્રકૃતિવાળા પ્રાણુઓ ધર્મશાસનને ચલાવનાર અને કામ અને અબૅકથાનું નિવારણ કરનાર મહાપુરુષની અવગણના કરીને પિતે અર્થ અને કામકથા કરવામાં આનંદ માને છે. એવા પ્રાણુઓને રાગ, દ્વેષ અને મહામોહરૂપ અગ્નિ અથે કામકથારૂપ ૧ પુણ્ય વિશિષ્ટ દૃષ્ટિએ સોનાની સાંકળ છે, તેનાથી સ્વર્ગ મળે છે, સુખ મળે છે, સગવડ મળે છે. ભોગવ્યા વગર કર્મને બારેબાર દૂર કરી દેવાં તેને નિરા કહેવામાં આવે છે. તે બાહ્ય અને અત્યંતર તપથી થાય છે. એ તપ ધર્મકથાનો વિષય છે, તેથી ધર્મકથા પુણ્ય અને કર્મનિર્જરા કરે છે એમ અત્રે કહ્યું. ૨ રસ નવ છે. શૃંગાર, હાસ્ય, કરૂણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદુભુત અને શાંત. સંકીર્ણ કથામાં આ નવે રસ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy