SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] કથા-થોના પ્રકાર. વચન સ્પષ્ટ રીતે બતાવે છે. તેમજ જ્ઞાન, દર્શન, ચારિત્ર, સંતોષ, પ્રશમ, તપ, સંયમ, સત્ય વિગેરે કરડે લડવૈયાવાળું બીજું અંતરંગ લશ્કર છે તેના ગુણસમૂહની શ્રેષ્ઠતા પણ “સર્વવચન” પગલે પગલે બતાવે છે. એક બાજુએ જ્યારે તે વચન મેહ મિથ્યાત્વરૂપ અંતરંગ લશ્કરના દો બતાવે છે ત્યારે બીજી બાજુએ શમ સંયમરૂપ અંતરંગ લકરના ગુણે બતાવે છે. આ ભવ (સંસાર)નો પ્રપંચ એકપ્રિય આદિ જાતિમાં કેવા પ્રકારનો થાય છે, તે કેવી રીતે દુઃખરૂપ છે અને કેવી રીતે અનંત કાળ સુધી ચાલ્યા કરે છે તે સર્વ હકીકત પણ સર્વજ્ઞવચન બહુ સારી રીતે બતાવે છે. આવી મહાન મહાન ભીંતનો સુંદર ટેકે મેળવીને મારા જેવો કાંઈ બોલે (લખે) તે સર્વજ્ઞસિદ્ધાન્તનાં નિઝરણાં છે એમ સમજવું. (આ વાર્તા છેતવ્યમાં સમાય છે એમ અત્ર બતાવ્યું.) લેકમાં અર્થ સંબંધી, કામ સંબંધી, ધર્મ સંબંધી અને સંકીર્ણ (અથે, કામ અને ધર્મ મિશ્ર) એમ ચાર પ્રકારની કથા કથા સંબંધી કહેવાય છે. સામાદિ નીતિ સંબંધી, ભુસ્તર વિદ્યા ને વિચારે. કૃષિ વિદ્યાના વિષયોને બતાવનારી અને ધન ઉપાર્જન કરવાની બાબતોથી ભરેલી કથાને અર્થકથા કહેવામાં આવે છે; એ કથા મનને ખરાબ કરનારી હોવાથી પાપ સાથે સંબંધ કરાવનારી છે અને તેટલા માટે તેને દુર્ગતિના માર્ગ પર લઈ જનારી ગણવામાં આવે છે. વિષયનું ગ્રહણ થાય એવો અર્થ જેમાં સમાયેલ હોય તે, વય અને દક્ષિણનું સૂચન કરનારી અને પ્રેમ તથા ચેછાથી ઉત્પન્ન થતી કથાને કામકથા કહેવામાં આવે છે; એ કથા પણ અત્યંત મલિન વિષય ઉપર રાગને વધારનારી અને વિપર્યાસ (ઉલટાપણું) કરાવનારી હોવાથી દુર્ગતિની હેતુ થાય છે. જે કથા, દયા, દાન, ક્ષમા આદિ ધર્મનાં અંગોમાં ખ્યાતિ પામેલી હોય છે અને જેમાં ધર્મ ૧ વ્યવહારમાં ફત્તેહ મેળવવા માટે કેટલીક નીતિઓ ઉપયોગી ગણવામાં આવી છે. મુખ્ય ચાર નીતિ ગણાય છે. સામ (અન્યને મીઠાં વચને સમજાવવું), દામ (પૈસા સંબંધી લાલચ આપવી), દંડ (શિક્ષાનો ભય બતાવવ-દમ આપવો) અને ભેદ (શિક્ષા કરવી). ૨ વય-ઉમર સ્થાને પાઠાંતરે વચન શબ્દ પણ છે. વચન અથવા વયને કામકથા સાથે ખાસ સંબંધ શું છે અને તે વયનું દાક્ષિણ્ય બતાવે છે કે અન્ય અર્થમાં ગ્રંથકારે એ વાકય વાપર્યું છે તે બરાબર સ્પષ્ટ થતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy