SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧ જે કર્મ કરવાથી મન મેતીની માળા, બરફ, ગાયનું દુધ, છેલરનું પુષ્પ કે ચંદ્ર જેવું નિર્મળ થાય તેવું કર્મ બુદ્ધિવાન્ માણસોએ કરવું જોઈએ ( આ કર્તવ્ય વિચારણું થઈ.) વિશુદ્ધ અંતરાત્માવડે ત્રણ લેકના નાથ, તેમને બતાવેલે અમે અને તેને આદરનાર મહાસનાં નિરંતર વખાણ કરવાં, તેઓની વારંવાર પ્રશંસા કરવી. (સુદેવ, સુગુરુ અને સુધર્મની પ્રશંસા કરવાની અત્ર જરૂર બતાવી શલાધ્ય વિચારણા કરી.) - સર્વ દેને નાશ કરવા માટે શ્રદ્ધાથી શુદ્ધ થયેલ બુદ્ધિપૂર્વક સર્વજ્ઞ મહારાજનાં કહેલાં વચને ભાવપૂર્વક સારી રીતે સાંભળવાં. (અત્ર શ્રોતવ્ય વિચારણું થઈ.) આ ચારમાંથી તવ્ય હકીકત સાંભળવી જોઈએ, કારણ કે તેથી જગતના પ્રાણીઓનું હિત થાય છે, તેથી સર્વજ્ઞ મહારાજનું વચન અત્ર શ્રોતવ્ય વિભાગમાં પ્રસ્તુત ગણવામાં આવ્યું છે. એ પ્રમાણે હોવાથી મહામહ વિગેરે અંતરંગ શત્રુને નાશ કરનારી અને આ સંસારને વિસ્તાર બતાવનારી આ કથા કહેવામાં આવે છે. શ્રોતવ્ય વિભાગમાં સર્વવચન કેવા ભાવ બતાવે છે તેનો વિચાર કરતાં જણાશે કે તે પાંચ આશ્રવના મહાદેશે, પાંચ શ્રોતવ્યમાં સ- ઇંદ્રિક મેહના આવિર્ભાવરૂપ ચાર કષાયો તથા વૈજ્ઞવચન. મિથ્યાત્વ અને રાગદ્વેષરૂપ અંતરંગ લશ્કરના દોષોને બતાવે છે. એ આશ્રવ ઇંદ્રિય, કષાય વિગેરે અંતરંગમાં રહી આ પ્રાણને કેટલે સંસારમાં રખડાવે છે તેનું સ્વરૂપ “સર્વજ્ઞ ૧ મન gવ મનુષ્યtiાં વાર વન્યમોક્ષયોઃ સંસારબંધન અને મોક્ષનું કારણ મન હોવાથી તે બહુ અગત્યનો ભાગ કર્તવ્ય વિચારણામાં બજાવે છે. એને પવિત્ર કરવાની અને તેના પર અંકુશ રાખવાની બહુ જરૂર છે અને તેને ત્યાં ત્યાં ચંચળપણે ભટકતું અટકાવવાની ખાસ આવશ્યકતા છે. ર સમ્યકત્વની યોજનામાં સુદેવ, સુગુરુ અને સદ્ધર્મની જરૂરીઆત મુખ્યપણે છે. એને બરાબર ઓળખવા, આદરવા અને સહવા એ સમ્યકત્વ છે કે જે યોગમાં બહુ આગળ પડતો ભાગ લે છે. જ ૩ અન્ય જીવને દુઃખ ઉપજાવવું, તેને પ્રાણનાશ કરવો તે પ્રાણાતિપાત; અસત્ય વચન બોલવું તે મૃષાવાદ; પારકી વસ્તુ લઈ લેવી તે અદત્તાદાન; પર રમણીમાં વિષયાસક્તિ તે મૈથુન અને વસ્તુ, ધન, હવેલી પર મૂછો તે પરિગ્રહ, આ પાંચ આશ્રવ કહેવાય છે અને તેથી બહુ દોષે ઉત્પન્ન થાય છે. કર્મ ગ્રહણ કરવાના માર્ગો–પ્રણાલિકા-ગરનાળાને આશ્રવ કહેવાય છે. ૪ સ્પર્શન, રસ (જિહા), નાસિકા, ચક્ષુ અને શ્રોત્ર-એ પાંચ ઇંદ્રિયો છે અને તેના વિષયે કેટલા અને કેવી રીતે કામ કરનારા છે તે સર્વજ્ઞવચન બતાવે છે. ૫ કોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય છે, સંસારને વધારનાર છે અને બહુ રીતે ત્રાસ આપનાર છે. આ પાંચ આશ્રય, પાંચ ઇંદ્રિય અને ચાર કષાય ૫ર બહુ વિસ્તારથી વાતા આ ગ્રંથમાં આવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy