SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ४३० ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ છતાં આપણને પણ થોડે થોડે તો લાભ મળ્યો છે અને તે આ છેઃ અનંત ભવે પણ પ્રાપ્ત થવું મુશકેલ સમ્યક્ત્વરૂપ રન જે મિથ્યાત્વના ચૂરેચૂરા કરી નાખે છે તે આજે પ્રાપ્ત થયું છે તેથી આપણે પણ કાંઈક અંશે ભાગ્યશાળી છીએ. દરિકી પ્રાણીને રસને ઢગલો કદિ પ્રાપ્ત થતું નથી. આ પ્રમાણે પોતાના મનમાં વિચાર કરીને તેઓ બન્ને પણ સૂરિ મહારાજનાં ચરણમાં પડયા અને પછી તેમની આજ્ઞા લઈને પોતાના સ્થાન પર જવા માટે નીકળ્યા. તેઓ જેવા સભાસ્થાનમાંથી બહાર નીકળ્યા કે તુરતજ ભગતૃષ્ણ જે બહાર તેઓની રાહ જોઈને ઊભી રહી હતી તે પછી તેના શરીરમાં દાખલ થઈ ગઈ, પણ હવે આ વ્યન્તર અને વ્યસ્તરીને શુદ્ધ સમ્યક્ત્વ થયું હતું તેના જોરથી એ (ભગતૃષ્ણ) તેઓને ભવિષ્યમાં કેઈપણ પ્રકારની અડચણ કે અગવડ કરી શકે તેવી સ્થિતિમાં રહી નહતી. વ્યંતર વ્યંતરીના ખુલાસા હવે એક દિવસ વિચક્ષણ અને કાળજ્ઞ એકાંતમાં બેઠા હતા તે વખતે વિચક્ષણાએ પૂછયું “પ્રાણનાથ! જ્યારે તમે જોયું કે હું આપને છેતરતી હતી અને પરપુરૂષ સાથે વિચરતી હતી ત્યારે આપે આપના મનમાં મારે માટે શું વિચાર કર્યો હતો?” આ પ્રશ્નના જવાબમાં કાળને તે વખતે પોતાના મનમાં મુગ્ધને મારી નાખવાના અને છેવટે વખત કાઢવાના જે જે વિચાર અને નિર્ણ થયા હતા તે સર્વ તેણે કહી સંભળાવ્યા. આ વિચારશીળ જવાબ સાંભળી વિચક્ષણ બોલી “આર્યપુત્ર! આપનું નામ 'કાળજ્ઞ છે તે તદ્દન એગ્ય છે. તમે તમારા નામ પ્રમાણે વખત જાણનાર અને શોધનાર છે, એમાં જરા પણ શંકા જેવું નથી. તમે તે વખતે ઉતાવળા ન થઈ જતાં વખત કાઢો તેથી તમે તમારું નામ સાર્થક કરી બતાવ્યું છે.” પછી કાળ વિચક્ષણને પૂછયું “હાલી ! મને પરસ્ત્રી સાથે રમણ કરતો જોઈ તારા મનમાં શા શા વિચારો થયા હતા?” તેના જવાબમાં વિચક્ષણને જે જે લાગણીઓ થઈ હતી તે સર્વ તેણે કહી બતાવી. ત્યારે કાળ કહ્યું “ખરેખર ! તારા મનમાં ઈષ્ય-અસૂયા થવા છતાં તે વખત કાઢી નાખી ઉતાવળ ન કરી તેથી તારું વિચક્ષણ (ડાહી, સમજુ) નામ છે તે તે સાર્થક કર્યું છે. વહાલી ! જે આપણે કાળવિલંબ કર્યો તો ભોગો પણ ભોગવ્યાં, પ્રીતિ પણ બની રહી અને અકાળે આપણે વિરહ ન થયો, તેમજ છેવટે આપણને ૧ કાળે જાનાતિ ઇતિ કાળજ્ઞ સમયને જાણે તેને “કાળજ્ઞ' કહેવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy