SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭] પ્રતિબોધકાચાર્ય. ૪૨૯ એવા પ્રકારનું અનુષ્ઠાન કરવું તે તદન યોગ્ય છે અને આપણે કરવા યોગ્ય છીએ.” અકુટિલાની આંખો આનંદથી કુલી ગઈ તેપણ વડીલેની સમક્ષ લજજાને લઈને તે કાંઈ બોલી શકી નહિ અને તેઓ જે બેલ્યા તેને માટે ગિતથી સંપૂર્ણ સંમતિ દર્શાવતી મર્યાદાને લઈને તે મૌન ધારણ કરી બેસી રહી. તે વખતે તેઓ ચારે ભગવાનના ચરણમાં પડ્યા. ઋજુ રાજાએ કહ્યું “ભગવાને જેની આજ્ઞા કરી છે તે હવે અમને આપ.” તેને જવાબમાં આચાર્ય ભગવાને કહ્યું “તમારા જેવા ભવ્ય પ્રાણીઓએ તેમ કરવું તે તદ્દન યોગ્ય છે.” પછી મહારાજા ઋજુ રાજાએ સારે દિવસ ક્યારે આવશે તે સંબંધી સવાલ કર્યો તેના જવાબમાં આચાર્ય મહારાજે જણાવ્યું કે આજનો જ દિવસ બહુ ઉત્તમ છે; એટલે રાજાએ ત્યાં રહ્યા રાજ મોટાં દાન આપ્યાં, દેવનું પૂજન કર્યું, પોતાનો એક બીજો શુભાચાર નામને પુત્ર હતા તેને રાજ્યગાદી ઉપર બેસાડો અને પોતાની પ્રજાના સવે માણસને બહુ સારી રીતે અનેક પ્રકારે આનંદ આપે. હવે એ ચારે મનુષ્ય (ઋજુ રાજા, પ્રગુણું રાણી, મુગ્ધ કુમાર અને અકુટિલા) પોતાને દીક્ષા લેવા ગ્ય સર્વ કર્તવ્યકર્મ કરીને પ્રત્રજ્યા લેવા માટે તૈયાર થયા, ગુરુ મહારાજે તેમને સભાવ આપે અને એ ચારે જણાએ તેજ વખતે દીક્ષા લીધી. તે જ સમયે પેલા અજ્ઞાન અને પાપ બાળક બહાર ઊભાં રહ્યાં હતાં તેઓ દૂર ભાગી ગયાંનાસી ગયાં અને પેલું ઘળું બાળક (આર્જવ) હતું એણે ચારેના શરીરમાં પ્રવેશ કર્યો. કાળજ્ઞ વિચક્ષણાની આત્મવિચારણા ચારિત્રની અશક્તિ પણ સમ્યકત્વ પ્રાપ્તિ, ભેગતૃષ્ણને સ્વીકાર પણ રને અભાવ, તે વખતે કાળા વ્યન્તર પિતાની સ્ત્રી વિચક્ષણ સાથે વિચાર કરે છે કે ખરેખર, આ ચારે મનુષ્યોને ધન્ય છે, તેઓનો અવતાર તો બરાબર સફળ થયે, તેઓ ખરેખરા પુણ્યશાળી જીવો છે, અને તેમ હોવાને લીધે જ તેઓ ભગવાનની બતાવેલી દીક્ષા લેવાને ઉદ્યમવંત થયા છે. આ સંસારસમુદ્ર તટે ઘણે મુશ્કેલ છે પણ મારા માનવા પ્રમાણે તેઓ તો એ ભવસમુદ્રને તરી ગયા ! સંસારસમુકને પાર પહોંચાડવા માટે પ્રબળ કારણભૂત એ ચારિત્રરત છે, પણ આપણે “દેવભાવને લીધે કમનશીબે તે રનથી બનશીબ રહ્યા છીએ, ૧ દેવતાઓ હંમેશા અવિરતિજ હોય છે, તેઓ ચારિત્ર લઈ શકતા નથી એટલું જ નહિ પણ એક સામાન્ય પચ્ચખાણ-નિયમ પણ લઈ શકતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy