SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા, [ પ્રસ્તાવ ૩ · જીવાની અસ્થિર-ચપળ છે અને હાય તેટલા વખત પણ ખરાબ “ આચરણાનું નિવાસસ્થાન છે; જે સંપત્તિ અનેક પ્રકારના કલેશા ક* રીને ઉત્પન્ન કરી હાય છે તે અનિત્ય છે અને જે જીંદગી ઉપર સર્વ ભાવેાની ધારણા કરી રાખેલી હાય છે તે પોતે પણ અનિત્ય છે, નિરંતર ટકી રહે તેવી નથીજ. એક વાર જન્મ થાય છે, વળી મૃત્યુ “ થાય છે, વળી જન્મ થાય છે, પાછું વળી મરવું પડે છે એમ ચાલ્યાજ કરે છે, તેમાં વળી અધમ સ્થાનાના અનેક પ્રસંગે આશ્રય .. .. લેવા પડે છે આવી રીતે સર્વ વારંવાર થયા કરે છે, તેથી અહીં કોઇ પણ પ્રકારનું સ્થિર સુખ મળતું નથી. આ સંસારમાં સર્વ વ .. ( સ્તુઓ સ્વભાવથીજ અસુંદર ( ખરાબ ) છે, સારી નથી, માટે એમાં ડાહ્યા-વિવેકી પ્રાણીએ કોઇપણ ધારણા બાંધવી એ યુક્ત લાગતું નથી. * આ જગતમાં જો કોઇ વસ્તુ આધાર આંધવા લાયક હોય તે માત્ર .. .. .. 6. એક કલંક વગરના અને આખા જગત્ને વંદન કરવા યોગ્ય ધર્મ જ છે, .. • કારણ કે તે ઉત્કૃષ્ટ અર્થને સાધનાર છે; આ પ્રમાણે હોવાથી સુર .. · ચારિત્રવાન્ પ્રાણીએ એ ધર્મને સેવા યુક્ત છે અને તે સિવાય * બીજી કોઇ પણ વસ્તુ ઉપર આધાર રાખવા એ તદ્દન નકામું છે. ” રાજા, રાણી, કુમાર અને વરૃપર અસર. ઋજુ રાજાદિને પ્રત્રજ્યાનિર્ણય. શુભાચારને રાજ્ય અને ચારેની દીક્ષા. 'આચાર્ય મહારાજનું આવું અમૃત જેવું ભાષણ સર્વ પ્રાણીઓનું ચિત્ત સંસારવાસથી નિવૃત્ત થયું. શ્રૃજી સાહેબ ! આપ જે ફરમાવેા તે કરવા હું તૈયાર છું. ણીએ ઋજી રાજા સામે નજર કરી કહ્યું “ મહારાજ ! હવે શા માટે જરા પણ વિલંબ કરવા જોઇએ ? ” મુગ્ધ કુમારે કહ્યું “ પિતાજી ! આપનું કથન યુક્ત છે. માતાજી ! આપે કહી તે વાત પણ બરાબર છે. સાંભળીને તે રાજાએ કહ્યું પ્રગુણા રા .. ” ૧ પ્રધનરતિ આચાર્ય મહારાજ આ પ્રમાણે ઉપદેશ ઋજુ રાજા, પ્ર ગુણા રાણી, મુગ્ધ કુમાર, અકુટિલા, કાળજ્ઞ, અને વિચક્ષણા સન્મુખ આપે છે. સંદેહ પડતી ખાખતમાં કાળક્ષેપ કરવા અને તપાસ કરવી તે ઉપર આ સર્વ વાર્તા મધ્યમમુદ્ધિ પાસે તેની માતા સામાન્યરૂપા કહે છે-સ્પર્શેદ્રિય કેવી રીતે કાર્ય કરે છે તે બતાવવા આ આળ અને મનીષીનું દૃષ્ટાન્ત કુમાર મંદિવર્ધન સમક્ષ વિદુર કહે છે અને પેાતાના આખા સંસારચક્રનો અનુભવ બતાવતાં સંસારીજીવ આ સર્વ વાત સદાગર સમક્ષ કહી બતાવે છે. વાર્તાના રસમાં આ હકીકત ચાલી ન જાય તેથી યાદ આપવાની આટલી જરૂર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy