SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ વે તે તથાવિધ નગરની બહાર માવિલય નામનું ઉદ્યાન છે. ત્યાં અનેક સારા શિષ્યાના પરિવારથી પરવરેલા અને કેવળજ્ઞાનલક્ષ્મીના સમુદ્ર પ્રતિાધક નામના આચાર્ય પધાર્યાં. આવા મહાન્ આચાર્ય મહારાજ પધાર્યાના સમાચાર વનપાળકે મહારાજા ૠજીરાજાને કહ્યા, તેઓશ્રીને વંદન કરવાને માટે રાજા આખા નગરના લોકોને સાથે લઇને નગરની બહાર આવ્યા. આ આચાર્યશ્રીને માટે દેવતાઆએ એક સુંદર મેટું કમળ બનાવ્યું હતું, તે કમળપર બેસીને આચાર્ય ભગવાન દેશના આપતા હતા. એ સ્થિતિ દૂરથી જોઇને શિલાતળ ( જમીન ) સુધી પેાતાનું મસ્તક નમાવીને રાજા આચાર્યના ચરણ કમળમાં પડ્યો, બીજા સર્વ મુનિ મહારાજાઓને વંદન કર્યું, કર્મવૃક્ષને તેડી પાડવામાં તીક્ષ્ણ કુઠાર જેવા ધર્મલાભ રૂપ આશિર્વાદથી ભગવાત્ આચાર્ય મહારાજે રાજાને અભિનંદન કર્યું, તેમજ બીજા મુનિઆએ પણ તેને ધર્મલાભ આપ્યો. ઋજુ રાજા જમીનપર બેઠો. કાળન વ્યંતર વિગેરે સર્વ સાથે આવ્યા હતા તેઓ વંદન વિગેરેના યોગ્ય વિ નય કરીને પાતપેાતાને યાગ્ય સ્થાને બેસી ગયા. આચાર્ય મહારાજની દેશના કેવળા માટે કમળરચના. પ્રકરણ ૭ મું. અંતરકથા ચાલુ-પ્રતિાધકાચાર્ય. વ્યંતરાના શરીરમાંથી નીકળેલી સ્રી. પશ્ચાત્તાપ અને સ્વરૂપ દર્શન, ૧ કમળરચનાઃ તીર્થંકર માટે સમવસરણ દેવા બનાવે છે. કેટલાક સામાન્ય કેવળી માટે નાના પ્રકારની રચના કરે છે. કમળ: દેશના દેવા માટે કરેલી એક પ્રકારની રચના છે. Jain Education International ૨ ધર્મલાભ: વંદનના જવાબમાં ધર્મલાભ ' આપવા એ જૈન મુનિના આચાર છે. તે સામે પ્રણામ કરતા નથી, ખીજો આશીર્વાંદ આપતા નથી, માત્ર સંસારથી પાર ઉતારનાર ‘ ધર્મ તમને મળે ’ એ સૂચવનાર ધર્મલાભ શબ્દ ખેલે છે. ૫૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy