SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ આચાર્ય મહારાજ દેશના આપવાનું કાર્ય કરી રહ્યા હતા. તેમણે હવે દેશનાનો વિષય આગળ ચલાવ્યું. તેઓએ દેશના દરમ્યાન સંસારની નિર્ગુણતા કેટલી બધી છે તે હકીકત ખાસ બતાવી, કર્મધન કરવાના ક્યા ક્યા હેતુઓ છે તેનું વિસ્તારથી વર્ણન કર્યું, સંસારરૂપ બંદીખાનામાં પડી રહેવાની સ્થિતિની નિંદા કરી, મેક્ષમાર્ગના વખાણ કર્યા, મોક્ષ સુખમાં કેટલી વિશેષતા છે તે વધારે સ્પષ્ટ આકારમાં કહી સંભળાવી, વિષયસુખની લાલચમાં પડી રહેવાથી કેવી રીતે સંસારમાં પરિભ્રમણ થાય છે તે હકીકત પર ભાર મૂક્યો અને તેવા પ્રકારના સુખથી શિવસુખ પ્રાપ્ત કરવામાં વિશ્વ કરનાર અનંત કાળપર્યત રખડપટ્ટી કેવી રીતે થાય છે તે હકીકત બતાવી આપી. ભગવાનની આવી વાણી સાંભળીને પિલા કાળજ્ઞ વ્યંતર અને વિચક્ષણ વ્યતરી ઉપર જે મહારાજાનું જાળું પથરાઈ ગયું હતું તે ખસી ગયું, દૂર થઈ ગયું, તેઓ બન્નેમાં સભ્ય દર્શનના પરિણામ જાગૃત થયા અને તેઓના મનમાં કર્મઇધનને બાળી નાખવાને શક્તિવાન્ પ્રબળ પશ્ચાત્તાપ રૂપ અગ્નિ જાગૃત થયે, તેથી તે જ ક્ષણે તેઓ પિતાના ખરાબ વર્તન માટે પશ્ચાત્તાપ કરવા લાગ્યા. કદરૂપી સ્ત્રી આ વખતે તેઓના શરીરમાંથી એક સ્ત્રી બહાર દૂર ખસી ખઈ. નીકળી આવી. તે સ્ત્રીનું શરીર એ વ્યતર અને વ્ય ન્તરીના શરીરમાંથી નીકળતાં લાલ અને કાળાં પર માણુઓનું બનેલું જણાતું હતું, તે દેખાવમાં તદ્દન કદરૂપી લાગતી હતી અને વિવેકી પ્રાણુઓને બહુ ઉદ્વેગ કરાવે તેવી જણાતી હતી. તે સ્ત્રી બન્ને વ્યક્તિના શરીરમાંથી બહાર નીકળ્યા પછી તુરતજ ભગવાનના શરીરનું તેજ સહન ન કરી શકવાથી પર્ષદા (સભા)ની બહાર ચાલી ગઈ અને અવળું મુખ રાખી સભાની બહાર દૂર પ્રદેશમાં જઈને જમીન ઉપર બેઠી. પિલા કાળા અને વિચક્ષણુનાં હદય પશ્ચાત્તાપથી એટલાં બધાં પાણી પાણી થઈ ગયાં કે તેઓની આંખમાં પણ આંસુ આવી ગયાં અને તેઓ બન્ને એક સાથે ભગવાનના પગમાં પડ્યા. ત્યાર પછી કાળા વ્યન્તરે કહ્યું “ભગવન્! હું તે અધમમાં પણ મહા અધમ છું. ૧ હેતુઃ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ પ્રવૃત્તિ એ ચારથીજ કર્મબંધન થાય છે. શિર ની ફેë, તો મન્ના જન્મ ! બંધને પામીને જે બંધાય તે “કર્મ કહેવાય છે. અસલ વરુપે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy