SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. ૪૦૨ [ પ્રસ્તાવ ૩ કામળ શયન વિગેરે સર્વ વસ્તુને અતૃપ્તપણે ખૂબ ભોગવવા લાગ્યા. બિચારા બાળ તેા એ કોમળ સ્પર્શના વિષયામાં એટલે બધે ફસી ગયા કે તેના સંબંધમાં અનેક પ્રકારની તજવીજ કર્યા છતાં તેના મનમાં કિંચિત્ માત્ર પણ સંતોષ થયોજ નહિ અને તેને પરિણામે તેના મનની શાંતિ ઉલટી ચાલી ગઇ. જેમ કોઇ પ્રાણીને ખસ-ખુજલી થઇ હોય અને તેના પર ચળ આવવાથી ખણવામાં આવે ત્યારે જરા ઉપર ઉપરથી સુખ લાગે પણ આખરે શારીરિક દુઃખજ થાય તેવી તે આપડાની સ્થિતિ થઇ ગઇ. છતાં પણ શુદ્ધ વિચારને અભાવે અને વસ્તુસ્થિતિના દુર્લક્ષ્યને લીધે જ્યારે જ્યારે સુંદર શય્યા વિગેરેના ઉપભોગ કરે ત્યારે ત્યારે તેને વિચાર આવે કે અહા ! મને કેવું સુંદર સુખ છે! અહા મને કેવે! મજાને આનંદ થાય છે! આવી જાતના વિચારથી મનમાં ફુલાયા કરે અને એવી ખોટી ભાવના ભાવીને પોતે ાણે પરમ સુખ ભાગવતા હોય એમ માની લઇ નકામેા સાંતરમાં અવગાહન કરે અને તેવા સુખમાં` લીન થઇ જાય. મનીષી એથી ઉલટી રીતે જ્યારે જ્યારે તેને કોમળ શય્યા વિગેરેની ઇચ્છા થઇ આવે ત્યારે ત્યારે પેાતાના મનમાં વિચાર કરે કે અહે! અત્યારે મને જે વિકાર થાય છે તે સ્પર્શને કરેલા વિકાર છે, તે કાંઇ સ્વાભાવિક ઇચ્છા નથી. એ સ્પર્શન મારા ખરેખરો કટ્ટો દુશ્મન છે અને એ બાબતને મેં મારા મનમાં પાક્કો નિર્ણય કર્યો છે, અને એ નિર્ણય જો બરાબર સાચા હાય તેા પછી તે મારા સુખનું કારણ કેવી રીતે થઇ શકે ? આવી રીતને વિચાર કરીને સ્પર્શનને અનુકૂળ આવે એવું કોઇ પણ પ્રકારનું આચરણ કરે નહિ. વળી તેની સાથે દાસ્તી થયેલી છે તેા તેને તદ્દન ખોટું લગાડવું ન જોઇએ અને તેની મિત્રતા છોડી દેવા માટે હજી થોડો વખત રાહ જોવાની જરૂર છે એમ ધારી સ્પર્શનને અનુકૂળ કોઇ કોઇ પ્રવૃત્તિ જરા મનીષી કરી લે, પરંતુ તેમાં તે જરા પણ વૃદ્ધિ રાખતા ન હેાવાને લીધે તેમજ સંતેષામૃત વડે તેનું મન સ્વસ્થ થયેલું હાવાને લીધે, જેમ રોગરહિત શરીરવાળા સુંદર ભાજન પચી શકે તેવું અને તેટલું ખાય ત્યારે તેને જેમ સુખ થાય તેમ, પેલા શયન મનીષી ઉપર ૫સેનનું યોગબળ ૧ સંસારમાં પ્રાણીએ આવીજ રીતે માનેલાં સુખના ધરડકા ખેાટી રીતે લીધા કરે છે. વસ્તુતઃ સુખ ન હેાય તેમાં સુખ માની તેની પાછળ દોડ્યા કરે છે અને હેરાન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy