SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ બેસી જાઉં છું; ત્યાર પછી તે પ્રાણીઓ ભક્તિપૂર્વક મારૂં ધ્યાન કરે, કેમળ અને સુંદર સ્પર્શની સાથે સંબંધ કરે, તો તેથી તેઓને એવું સારૂં સુખ મળે છે કે જેને કોઇ અન્ય સુખની ઉપમા જ આપી શકાય નહિ. તેટલા માટે સુખસેવનના ઉપાય હું પોતેજ છું. હવે તમે તે વાત બરાબર સમજ્યા ? ” આટલી હકીકત સાંભળીને મનીષીએ પેાતાના મનમાં વિચાર કરી લીધેા કે આ સ્પર્શને અમને છેતરવાના પ્રપંચ અત્યારે બરાબર આદર્યો છે, પણ કાંઇ નહિ, જોવા તેા દે, તે ભાઇશ્રી હવે શું કરેછે ! માળ—“ અરે મિત્ર ! જો એમ હતું તે પછી અમારે આટલા અધા વખતથી તારી સાથે સંબંધ છે છતાં તે વાત તે અમને આજ સુધી એક પણ વખત કેમ જણાવી નહિ ? તેં ખરેખર અમને અત્યાર સુધી છેતર્યા ! અમે તેટલે અંશે કમનશીબ રહ્યા! કારણ કે સુખ પ્રાપ્ત કરવાને આવા સારા ઉપાય હસ્તગત હોવા છતાં પણ અત્યાર સુધી અમે સુખ વગરના રહી ગયા. તારી પાસે આવી જબરી ચેોગશક્તિ છે છતાં તેને તું પ્રગટ કરતા નથી અને અમારી પાસે તે સંબંધી વાત પણ કરતા નથી તે તેા તારી બહુ ગંભીરતા કહેવાય! પણ હવે તેા કૃપા કરીને અમને એ હળ બતાવ, તારી ચાગશક્તિને વિકસ્વર કર અને અમને સુખ પ્રાપ્ત કરવાના હેતુભૂત ખરાબર થઇ જા. અમને તારી યાગશક્તિ જોવાનેા અને તેને અનુભવ કરવાના પ્રસંગ મળ્યું છે તેના ખરા લાભ અમને આપ. ’ “ કેમ મારી શક્તિ હું બતાવું? ” એ પ્રમાણે મનમાં જરા સંદેહ પૂર્વક એક દૃષ્ટિમાણુ મનીષી તરફ ફેંકીને સ્પર્શને મનીષીને સવાલ કર્યાં. ખાળે જેવી ઇચ્છા બતાવી તેવીજ ઇચ્છા મનીષીની પણ હશે કે નહિ તે જાણવાના ઇરાદાથી એ સવાલ સ્પર્શને કર્યો હતેા. મનીષીને પણ શું થાય છે તે જોવાનું કુતૂહળ થયું, તેથી તેણે જવામમાં જણાવ્યું “ ભાઇ ! મળે તમને જે પ્રમાણે કરવા કહ્યું છે તે પ્રમાણે કરો. એમાં વિચાર કરવા જેવું કે વિરોધ બતાવવા જેવું શું છે ? ” મનીષીને આ પ્રમાણે જવાબ સાંભળીને સ્પર્શને પદ્માસન ૧ ચેાગી ધ્યાન કરે છે ત્યારે આ પ્રમાણે આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા વિગેરે કરે છે. એવીજ રીતે સંસારી પ્રાણીએ સ્પર્શન કે બીજી કાઇ પણ ઇંદ્રિયમાં આસક્ત થાય છે ત્યારે એવીજ એકાગ્રતા કરે છે. જરા ખારીક અવલેાકન કરવાથી એ વાત જણાઇ આવશે. વિષય સેવતી વખત યાગધ્યાનના જેવીજ એકતા થાય છે; માત્ર આશયમાંજ મેટા તફાવત હેાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy