SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪] સ્પર્શનમૂળશુદ્ધિ ૩૯૫ ત્યાર પછી રાગકેસરી મહારાજાએ પોતાની સાથે આવનારા બીજા રાજાઓને પણ ખબર આપી દીધા કે “પિતાજી મહાનરેન્દ્ર રાજા મહામહ પણ સાથે જ કુચ કરવાના છે.” આ હકીકત સાંભળીને એમનું આખું લશ્કર બહુ જુસ્સામાં આવી ગયું. પછી પોતે મહામહ નરેન્દ્ર, રાગકેસરી રાજા, વિષયાભિલાષ વિગેરે સર્વ મંત્રી અને સામતો. સર્વ પ્રકારના લશ્કરને સાથે લઈને સંતોષ નામના ચેરનો નિગ્રહ કરવા માટે ચાલી નીકળ્યા છે એ હકીકતથી આખું રાજસચિત્ત નગર દોલાયમાન થઈ ગયું છે અને આ મેટા કેળાહળના શબ્દો સંભળાય છે તે એ લશ્કરના પ્રયાણ કરવાનો અવાજ છે. એ મહારાજા અને રાજા બહાર નીકળી પડ્યા છે તેને આ હેતુ છે. તને એ હકીકત જાણવાનું બહુ કૌતુક હતું તેથી એ સર્વ વાત મેં તને કહી સંભળાવી. નહિ તો અમારે એકદમ પ્રયાણ કરવાનું હોવાથી મારે એક શબ્દ પણ બોલવા જેટલી ફુરસદ નથી, કારણ કે લશ્કરની પ્રથમ પંક્તિમાં સર્વની આગળ પ્રયાણ કરનારાઓના નાયક તરીકે મારી નીમણુક થઈ છે.” બોધની પાસે રિપોર્ટ રજુ કરતા પ્રભાવ કહે છે કે વિપાકની આટલી વિસ્તારયુક્ત હકીકત સાંભળી તેને આભાર દર્શાવતા મેં (પ્રભાવે ) કહ્યું “આર્ય ! મારે આ બાબતમાં તમારે શું બોલીને આભાર દર્શાવ? સજન પુરુષે હમેશાં પરોપ વિપાકને કાર કરવામાંજ તત્પર હોય છે, જ્યારે એ સજજન આભાર. પુરુષ પારકાનું ભલું કરવા તૈયાર થાય છે ત્યારે પોતાનું કામ ભૂલી જાય છે અથવા તેને ગૌણ કરી નાખે છે, પોતાને હાથે પેદા કરેલા પૈસાને પારકાને માટે વ્યય કરે છે, અનેક પ્રકારનાં દુ:ખે પારકાને માટે સહન કરે છે. પિતાની જાતને ગમે તેટલી આપત્તિઓ સહન કરવી પડે તેની દરકાર કરતા નથી, પિતાનું માથું પણ આપે છે અને પિતાને જીવ પણ જોખમમાં મૂકે છે અને પારકાનું કામ તે ખુદ પોતાનું જ કામ હોય એમ અંત:કરણથી માનીને કામ કરે છે. મારાં આવાં વચન સાંભળીને વિપાક રાજી થયે, મારી તરફ પિતાનું મસ્તક જરા નમાવ્યું અને પિતે જાય છે એમ બોલતો મને પ્રણામ કરીને વિપાક ત્યાંથી વિદાય થયો. પિતાની વાત બેધ સમક્ષ આગળ ચલાવતો પ્રભાવ કહે છે – ( ૧ આ હકીકત તદ્દન યોગ્ય છે. વિપાકને જ્યારે ઉદય થાય એટલે પરિપાક દશામાં કર્મો આવે ત્યારે સત્તામાંથી ખેંચાઈને ઉદયમાં આવે છે જે હકીકતપર આ રૂપક છે, વિપાકને તેટલા માટે પ્રથમ હરોળમાં જ રહેવું પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy