SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ કારણ બન્યું હતું તે સર્વ કહી સંભળાવ્યું. મહામેહ પિતાએ સર્વ વાત સાંભળી. પછી તેઓ વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઈ. મહામોહ–પુત્ર ! જીર્ણ વસ્ત્રની પેઠે હવે મારે માટે છંદગીને છેવટ ભાગ બાકી રહેલો છે. જેમ હાથીના બચ્ચાને કે ઊંટને ખાસ થઇ હોય તો તેની પાસે જેટલું કામ લઈ શકાય તેટલું લઇ લેવું એ વ્યવહારૂ ગણાય, તે જેટલું કામ આપે તે લાભમાં લેખું ગણાય, તેમ મારા ખરખર બેરડી જેવા શરીરનો જેટલે લાભ લેવાય તેટલો સારો તેટલા માટે હું હયાત છું ત્યાં સુધી તારે લડાઈ માટે પ્રસ્થાન કરવું યોગ્ય નથી. આ મેટું વિસ્તારવાળું રાજ્ય છે તેના ઉપર તારા મનમાં કેઇ પણ પ્રકારની શંકા રાખ્યા વગર રાજ્ય કર અને તારે જે કાર્ય કરવાનું છે તે હું સાધી દઇશ.” - રાગકેસરી–(કાન બંધ કરીને) “પિતાજી! આપ આવું બોલે નહીં, એવી વાત કરે નહિ, અમંગળ સર્વ શાંત થઈ જાઓ ! આપનું શરીર અનત કાળ સુધી ચાલો! હું તો આપના શરીરને કેઈ પણ પ્રકારની બાધા–પીડા ન થાય એમાંજ સંતોષ માનનાર આપને નોકર માત્ર છું તેથી આપ આવા પ્રકારની આજ્ઞા મને ન કરે! આપની પાસે આ બાબતમાં વારંવાર વધારે શું કહેવું? હું શત્રુને હરાવવા માટે જઉં છું. આપ મને આજ્ઞા આપ !' મહામહ-પુત્ર! આ બાબતમાં તો મારેજ જવું પડશે, તને તો હું અહીં રાજ્યમાં રહેવાની આજ્ઞા કરું છું.” આ પ્રમાણે બલીને મહામોહ રાજ ઊભા થયા. મહામેહ પિતાનો આ સંબંધમાં આટલો બધો દઢ આગ્રહ જોઈ રાગકેસરીએ કહ્યું આપની જે એજ પ્રમાણે કરવાની ઈચ્છા અને આશા છે તો પછી આપની પાછળ હું પણ આવીશ. આપ એ સંબંધમાં તો મને કઈ પણ પ્રકારની અટકાયત કરશે નહિ એમ હું ધારું છું.” મહામહ-ભલે, એમ કર. હું તો એક ક્ષણ વાર પણ તારે વિરહ સહન કરી શકે તેમ નથી. માત્ર આ કામ બહુ મોટું અને જબરજસ્ત હોવાથી મારે એકલાએ જવું એમ મેં જણાવ્યું હતું, પરંતુ તે સાથે આવવાની માગણી કરી છે તો તે બહુ સારી વાત છે.” રાગકેસરી–બહુ મોટી કૃપા થઈ !' ૧ અહીં મૂળમાં પશ્ચિમ ધાવ” શબ્દ વાપર્યો છે. ધોબીને તદ્દન જીર્ણ અથવા અધેવું કપડું છેલ્લી વાર જોવા આપવામાં આવે ત્યારે તેને કહેવાય છે કે મા તેની છેલ્લી ધોણ છે તે અર્થમાં વાવ શબ્દ અહીં વાપર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy