SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ હોય છે તેવા માણસો પણ વિષયોમાં આસક્ત થઈ જાય છે તે સર્વ ચાળા કરાવનાર એ મહામહ જ છે. સર્વ કર્મોને જીતનાર જિદ્ર “ભગવાનના તવને જાણનારા પ્રાણુઓ પણ કષાયને વશ થઈ જાય છે “તેનું કારણ મહામોહનું શાસન જ છે. આવો સુંદર મનુષ્યજન્મ “(ભાવ) પામીને અને જૈન શાસન જેવું સુંદર શાસન પ્રાપ્ત કરીને પણ પ્રાણીઓ પિતાના ગૃહમાં આસક્ત થઈ સંસારમાં રખડ્યા કરે છે તેનું કારણ એ મહામહ છે. એ મહામહ કેઈથી આકુળવ્યાકુળ થયા વગર પોતાના વીર્યથી સર્વને ઓળંગી જઈને યતિભાવમાં રહેલા કેટલાક સાધુઓને પણ મહા હેરાનગતી આપે છે. ગંધ“હસ્તીની માફક તે મહામહ મનુષ્ય લકમાં, પાતાળમાં અને સ્વર્ગમાં “આનંદથી સર્વત્ર વિલાસ કરે છે. ગાઢ મિત્રતાને યોગે પૂર્ણ વિશ્વાબસમાં વર્તતા મિત્રોને જે મિત્ર છતાં ઠગે છે-વંચના કરે છે તેનું કારણ “મહામોહજ છે. કુળવાન સ્ત્રીઓ પોતાની ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખ“નાર પતિને તજી દઈને પરપુરુષ સાથે રમણ કરે છે તેનું કારણ આ મહામોહ છે. પિતાના ઉત્તમ કુળની વિશુદ્ધ મર્યાદા મૂકી દઈને કેટલાક પ્રાણુઓ પરદાર સાથે રમણ કરે છે તેનું કારણ પણ એ “મહારાજા મહામહ છે. જે ગુરુના પ્રતાપથી પોતે ગુણનું ભાજન “થયા હોય છે તેજ અધમ પ્રાણીઓ પાછા પોતાના ગુરૂને પ્રતિકૂળ થઈ બેસે છે તે આ મહામોહને વશ પડવાથી થાય છે. વળી “કેટલાક પ્રાણીઓ ચોરી વિગેરે આર્ય પુરુષોને નહિ કરવા યોગ્ય કામ કરે છે અને તેમ કરવામાં આનંદ લે છે તે સર્વને પ્રવર્તક-ચાલક એ મહામહ છે. એ મહામહ રાજા જેને આ લાંબો ( ઉન્નત) અહેવાલ છે તેણે આખી દુનિયાનું પરિપાલન કર્યા પછી એક વખત વિચાર કર્યો કે પોતે તે હવે ઘણો વૃદ્ધ થયો છે તેથી પોતાના રાજ્યનો ભાર પિતાના પુત્રને આપ તે ઠીક છે કારણ કે પોતે બાજુમાં રહ્યો રહે પણ પોતાના બળથી રાજ્ય સંભાળવાને પૂરતી રીતે શક્તિમાન છે. આ વિચાર કરીને મહામહ રાજા પિતાનું સર્વ રાજ્ય પિતાના મેટા પુત્ર રાગકેશરીને આપીને પોતે હવે આરામ લે છે અને રાજ્ય સંબંધી ૧ સાધુ દશામાં મેહનું જોર ઓછું હોવું જોઈએ, છતાં એ એટલો પ્રબળ છે કે કોઈ કઈ સાધુઓને પણ હેરાન કરીને તેના ઉપર તે પોતાનું જોર ચલાવે છે. ૨ મોહનું જોર-દેવ, નારક, તીર્થંચ અને મનુષ્ય-સર્વ પર ચાલે છે. ગંધહસ્તી જેમ સર્વત્ર વિલાસ કરે એમ તે ત્રણ લોકમાં ફર્યા કરે છે અને લહેર કરે છે. ૩ ગુરુના પ્રતાપથી દેશયાગ-સર્વત્યાગ કરે છે અને પાછા પતિત થઈ જાય છે તેઓનું આ વર્ણન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy