SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪] સ્પર્શનમૂળશુદ્ધિ ૩૮૯ તમાં એ પાંચે મનુ વિચારે છે અને આખા જગતને પિતાને વશ કરીને તે દ્વારા રાગકેશરી રાજાને વશ રાખે છે અને તેઓ સર્વ જાણે તેના નોકરો હોય તેમ જગતના લોકો પાસેથી કામ લે છે. પરંતુ ધાન્યના સમુદાય પર ઉપદ્રવ કરનાર 'ઇતિઓની પેઠે તેઓના કામકાજ ઉપર ત્રાપ મારનાર સંતોષ નામને એક ચેર તેઓને મોટે ઉપદ્રવ કરનાર હમણું ઉત્પન્ન થયો છે એમ સાંભળ્યું છે. એ સંતોષ તેઓની સામે થઈને–તેઓને હરાવીને-અત્યાર સુધીમાં કેટલાક લોકોને તે અહીંથી ઘસડી પણ ગયો છે અને રાગકેશરી મહારાજના અધિકારની બહાર આવેલી એક નિવૃત્તિ નામની નગરી છે ત્યાં લઈ ગયો છે એમ સાંભળ્યું છે.” વિપાકે કહેલી આટલી હકીકત સાંભળી મેં મારા મનમાં વિચાર કર્યો કે આ વાતમાં અને આપણું સમક્ષ બાળ મનીષીની સાથે સ્પર્શને વાત કરી હતી તેમાં જરા ફેર પડ્યો તેનું કારણ શું? ત્યાં સ્પર્શને વાત કરી હતી ત્યારે તો એમ કહ્યું હતું કે ભવજંતુ સદાગમના બળથી મોક્ષે ગયો અને આ (વિપાક) તો એમ કહે છે કે સ્પર્શન વિગેરેને મારી હઠાવી સંતોષે અનેક લોકોને નિવૃત્તિ નગરીમાં સ્થાપન કર્યા છે. ત્યારે મોક્ષમાં સ્થાપન કરનાર તે સદાગમ હશે કે સંતોષ હશે? આ પ્રમાણે બન્ને વાતમાં કાંઇક ફેરફાર મને લાગે છે; પરંતુ અત્યારે એવો નકામે વિચાર કરવાની શી જરૂર છે? હાલ તે આ વિપાક જે હકીકત કહે છે તે બરાબર ધ્યાન રાખીને સાંભળી લઉં, આગળ ઉપર અવકાશે પછી તેના ઉપર વિચાર કરી લઈશ. વિપાકે ત્યાર પછી પિતાની વાત આગળ ચલાવી. “આવી રીતે સ્પર્શન વિગેરેને સંતોષ તરફથી મોટો ઉપદ્રવ થાય છે રાગકેશરીને લોભ એ હકીકત અમારા મહારાજ રાગકેશરીને આજે અને તેનું શાંત્વન. તેમના ખાસ સંબંધી માણસોએ જણુંવી. પિતાના સેવકને આટલું મોટું દુઃખ ઉત્પન્ન થયું છે એવી હકીક્ત તેઓએ અગાઉ કદિ પણ સાંભળેલી નહિ અને તે હકીકત ૧ ઇતિઃ ઉપદ્રવો. ઇતિઓ સાત પ્રકારની હોય છે તે બધી ધાન્યનો નાશ કરનારી છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડ, ઉંદર, શુક ઇત્યાદિ. ૨ મોક્ષ. અહીં રાગનું જોર ચાલતું નથી. ૩ આ પ્રમાણે પ્રભાવ નામને દૂત બોધ પાસે વાત કરે છે. પ્રભાવ પિતાને માટે પહેલા પુરુષમાં વાત કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy