SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. ૩૮૮ [ પ્રસ્તાવ–૩ : " કહું છું તે સાંભળે:~ ... એક વખત આ નામદાર રાગકેશરી રાજાએ પેાતાના વિષયાભિલાષ મંત્રીને પેાતાની પાસે ખેલાવીને કહ્યું કે · આર્ય વિષયાભિલાષ ! હવે તેા તમે કાંઇ એવું કરો કે જેથી આખું જગત્ મારે વશ થઇ જાય અને બધા જાણે મારા નાકરા હાય એવી રીતે મારી સાથે વતું. એ પ્રમાણે થાય તેા પછી આપણે વારંવાર મહેનત કરવી પડે છે તે સર્વ બંધ થઇ જાય. વિષયાભિલાષ મંત્રીએ રાજાની એ આજ્ઞા પેાતાના મસ્તકપર ચઢાવી. પછી રાજાનું આ કામ કરવાને કાણુ સમર્થ છે તે વિષે પૂરતા વિચાર કરીને મંત્રીએ પેાતાના મનમાં નિર્ણય કર્યો કે રાજાનું આવું આકરૂં કામ કરવાને બીજે તેા કોઇ શક્તિમાન નથી, પરંતુ તે સંબંધમાં મનમાં અહુ કલેશ કરવાની પણ જરૂર નથી, કારણ કે પેલા પાંચ આપણા ખાસ અંગીત માણસા છે તેજ એ કામ સાધી શકશે એમ મારે તે પાકા ભરોસે છે. આ પ્રમાણે વિચાર કરીને એ સ્પર્શનવિગેરે પાંચ અંગીત માણસાને વિષયાભિલાષે પેાતાની પાસે બેલાવ્યા. એ પાંચે મનુષ્યા આ મંત્રીવર્યમાં અત્યંત રક્ત હતા, તેઓએ અત્યાર પહેલાં પોતાનું પરાક્રમ અનેક જગ્યાએ બતાવ્યું હતું, મંત્રીવર્યની ઊંચા પ્રકારની નોકરી કરવા માટે ઘણી વખત વિજયપતાકા ( માન અકરામની નિશાનીઓ ) પ્રાપ્ત કરી હતી, મનુષ્યનાં હૃદયને પેાતાની તરફ આકર્ષણ કરવામાં તેએ અત્યંત કુશળ હતા, શુરવીરને સાવધ કરનાર હતા, ચંચળ પ્રાણીઓને તેજસ્વી કરનાર હતા, અન્ય પ્રાણીઓને છેતરવાની કળામાં પારંગત થયેલા હતા, સાહસિક પ્રાણીઓમાં છેલ્લી હદ સુધીનાં સાહસેા કરવામાં પાછા ન પડે તેવા હતા, અને બહુ દુ:ખે કરીને વશ થઇ શકે તેવા કઠોર પ્રાણીઓના દૃષ્ટાંતરૂપ હતા. એ પાંચે અંગીત માણસાને બોલાવીને વિષયાભિલાષે આખા જગને વશ કરવા માટે મોકલી આપ્યા. ’ વિપાક પાસેથી આટલી હકીકત સાંભળતાં મેં (પ્રભાવે ) મારા મનમાં વિચાર કર્યો કે આ પણ ઠીક વાત મળી આવી ! આટલા ઉપરથી સ્પર્શનનું મૂળ સ્થાનક તા સમજવામાં આવ્યું. વિપાકે પેાતાની વાત આગળ ચલાવી: ત્યાર પછી આ માટા વિસ્તારવાળા જગ સંતાષ અને સ્પર્શન. ૧ આ પાંચ ખાસ માણસે તે પાંચ ઇંદ્રિયા સમજવીઃ સ્પર્શન, રસ, ઘ્રાણુ, ચક્ષુ અને શ્રોત્ર. આ પાંચને વિષયાભિલાષના પુત્રપણે અન્યત્ર કહેવામાં આવેલ છે. (જીએ વૈરાગ્યપલતા. ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy