SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રતાવ ૧ રાગ” કેશરી સિંહનો નાશ કરી નાખે છે અને જેઓ શાંતરસ અમૃતપાનથી તૃપ્ત થયેલા છે તેઓશ્રીને મારે નમસ્કાર હો. બીજા શ્રી અજિતનાથથી ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ પર્યંતના પવિત્ર તીર્થકર મહારાજાઓ જેઓએ ટ્વેષ નામના હાથીરૂપ શત્રુનાં કુંભસ્થળને ભેદી નાખ્યાં છે તે સર્વને નમસ્કાર થાઓ. ચરમ તીર્થકર શ્રી વીર પરમાત્મા જેમણે પોતાના સર્વ દેને દળી નાખ્યા છે, જેમણે મિથ્યા દર્શનને કાપી નાખ્યું છે, જેમણે કામદેવને નાશ કરીને તેના પર વિજય મેળવ્યું છે અને જેમના શત્રુઓ નાશ પામ્યા છે તેમને નમસ્કાર થાઓ. અંતરંગ મહાસૈન્ય (જેનું વર્ણન આ ગ્રંથમાં આગળ બહુ વિસ્તારથી આવવાનું છે) જે સર્વ પ્રાણીઓને સંતાપ આપનાર થાય છે તેને લીલામાત્રથી–રમતમાં જે કંઈ મહાત્માએ હણું નાખ્યું હોય તેને નમસ્કાર કરું છું. જિનેશ્વર ભગવાનની વાણી જે સર્વ વસ્તુઓ (પદાર્થો)નો - ૧ મોક્ષમાં જવામાં પ્રત્યાય કરનાર “રાગ ”મોહને મુખ્ય આવિર્ભાવ છે. વિતરાગત્વને અંગે તેના પર જય મળે છે અને તે વાત મુખ્યપણે બતાવવા આ વિશેષણ અહીં મૂક્યું જણાય છે. ૨ ગજેદ્રારિનો અર્થ સિંહ થાય, પરંતુ તેને કુંભસ્થળ હતાં નથી અથવા સામાન્ય હોય તે તે પર ઉક્તિ હોતી નથી, તેથી હાથીરૂપ શત્રુ-એવો અર્થ કરવો વધારે સમીચીને જણાવે છે. તેને ગજૈકની ઉ૫માં અન્યત્ર પણ આપેલી છે. ૩ દોષ દૂર કરવાથી પિતાને લાભ થયો છે, મિથ્યા દર્શન દૂર કરવાથી અનેક પ્રાણી ઉપર ઉપકાર થયો છે, કામદેવ પર વિજય મેળવવો એ સર્વથી વધારે મુશ્કેલ બાબત છે અને તીર્થંકર મહારાજના શત્રુઓ હતા તે નાશ પામવાની વાતથી તીથંકરદ્ધિ બતાવી છે. આ ચારે વિશેષણે બહુ ઉપયોગી છે. ૪ અંતરંગ મહા સૈન્યમાં ક્રોધ, માન, માયા, લોભ, રતિ, અરતિ, શક, ભય, વિકાર, રાગ આદિ અનેક વિભાને સમાવેશ થાય છે. એને ઓળખાવવા એ આ ગ્રંથનો ખાસ વિષય છે. અહીં નમસ્કાર સામાન્ય કેવળીને કર્યો છે (જિન શબ્દથી તે ઓળખાય છે). - ૫ ગ્રંથકર્તાની આદર્શ ભાવના શું છે તે આ વાક્ય બતાવે છે. જે કોઈ મહામાએ જય કર્યો હોય તેને નમસ્કાર કરી તેવા થવા અથવા તે સ્થિતિએ પહોંચવાની અત્ર ભાવના બતાવે છે. ૫રમાત્મભાવનું આ અતિ વિશિષ્ટ આદર્શ છે. ૬ એવો કોઈ પણ પદાર્થ નથી, એવી કોઈ વસ્તુ નથી, એવો કઈ વાગ્યે ભાવ નથી કે જે જિનેશ્વરની વાણીનો વિષય થઈ ન શકે. અમુક ભાવ કહી શકાય નહિ એ સમયને આધીન વાત છે. આવા વાચ ભાવને બતાવનાર વાણીને અહીં નમસ્કાર કરવાથી પોતે પણ ઘણું વાચ ભાવો બતાવી શકે તે માટે બળ પ્રાપ્ત કરવાની ઈચ્છા જણાવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy