SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ परमात्मने नमः ઉપમિતિ ભવપ્રપંચો કથા.” ગુજરાતી અવતરણ. સિદ્ધાર્થ ગણિની પ્રસ્તાવના. “જે પરમાત્માએ મહામહની સર્વ ઠંડી પીડાઓને નાશ કર્યો છે અને જે લોકાલેકનાં વિશુદ્ધ દર્શન કરાવવા માટે નમસ્કાર અને સૂર્ય સમાન છે તે પરમાત્માને નમસ્કાર થાઓ. જે મંગળાચરણ પરમાત્મા શુદ્ધ ધર્મમાં રત છે, જેઓ સ્વરૂપસ્વભા વની પરાકાષ્ટાએ પહોંચી ગયા છે અને જે મહાસની મૂર્તિ સાંસારિક વિકારના વિસ્તારથી દૂર થઈ ગયેલી છે એટલે કે જેમના સર્વ વિકારે નાશ પામી ગયા છે તે પરમાત્માને નમસ્કાર થાઓ નાભિ રાજાના પુત્ર શ્રી આદિનાથ ભગવાન (ઋષભદેવ સ્વામી) જેઓએ સ્વર્ગ, મૃત્યુ અને પાતાળના જીવોને ત્રાસ આપનાર * જે કથામાં સંસાર (ભવ)ની ધૂંચવણોને અંદરથી રહસ્ય તરીકે સમજાવટ નીકળે છે તે કથા. પ્રથમ પ્રસ્તાવ ઉપઘાત રૂપે છે, તેમાં પણ પ્રથમનો ભાગ પ્રસ્તાવના જેવું છે. ભાષાન્તર અક્ષરે અક્ષર કર્યું નથી, પણ અવતરણરૂપ છે. આ સંબંધી વિશેષ હકીક્ત માટે જુઓ અવતરણકારનો ઉપઘાત. - ગ્રંથની નિર્વિધ્ર સમાપ્તિ માટે મંગળાચરણ કરવાનો સંપ્રદાય પ્રથમથી ચાલ્યો આવે છે. ૧ મોહની પીડાને ઠંડી પીડા ગણવામાં આવી છે, કારણ કે પ્રેમથી ત્યાં પીડા થાય છે. પરિણામે પીડામાં તે ઉકળાટજ થાય છે, પણ તેનું કારણ ઠંડું છે. યાદ રાખવું જોઈએ કે ઠંડી પીડા હમેશાં વધારે સખ્ત હોય છે અને તે બહુ ત્રાસ આપે છે. ગરમીના હજારો ઉપાય છે, શરદીનો ઉપાય નથી. ૨ મોક્ષમાં ગયા પછી-પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત થયા પછી ઇંદ્રિયના કે મનના કોઈ પણ પ્રકારના વિકારો રહેતા નથી. એ ભાવના હદયમાં સ્થિત કરવા જે પરમ પુરુષોએ પોતાના વિકારો દૂર કર્યા છે તેમને શરૂઆતમાં નમસ્કાર કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy