SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩] મનીષી અને બાળ. ૩૮૧ માણસ છે કે ભદ્રક છે તે તેના કામ પરથી જણાય છે. આ પ્રમાણે હોવાથી હું જે વાત કહું છું તે તારે કઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર કરવી એવી મારી તને ખાસ પ્રાર્થના છે. વાત ખરી છે કે એક માણસને કેરી ખાવાની ઈચ્છા થઈ હોય તે તે આંબલીથી તૃપ્ત થઈ શકતી નથી, તો પણ મારા ઉપર કૃપા કરીને ભવજન્તના વિરહનું દુ:ખ તને થયું છે તેના ઉપાય તરીકે મારો સંબંધ તારે માની લે.” સ્પર્શન–બહુ સારું, આર્ય! તમારા ઉપર કોઈ પણ પ્રકારનો ઉપકાર નહિ કરનાર મારી જેવા ઉપર વાત્સલ્ય બતાવનાર તમે અતિ એહથી ભીનાં થયેલાં વચનરૂપ અમૃતના સિંચનવડે મારાં પ્રાણને આખરે બચાવ્યા છે. મારે હવે તમને વધારે તે શું કહેવું? પણ અત્યાર સુધી મારા મનમાં જે શેક સંતાપ થયા કરતા હતા તે હાલ તે ચાલ્યા ગયે છે, તમે હાલ તે મારા અગાઉના મિત્ર ભવજંતુને ભૂલાવી દીધો છે. મારી આંખે શીતળ બની ગઈ છે, મારૂં ચિત્ત આનંદમાં આવી ગયું છે, અને તમારા દર્શનથી મારું શરીર શાંત થઈ ગયું છે. હવે તે મારે તમેજ' ભવજંતુ પિતે છે એમ હું સમજું છું.” તે વખતથી સ્પર્શન અને બાળને સેહ બરાબર ગાઢ થવા લાગ્યો. મનીષીની વિચારણા મનીષીએ આ સર્વ વાતચીત ચાલતી હતી તે વખતે પિતાના મનમાં વિચાર કર્યો કે જે માણસ બહુ વિચાર કરીને કામ કરનાર હોય છે તે પિતાની ઉપર અનુરક્ત પ્રેમી નિર્દોષ મિત્રને કદાપિ ત્યાગ કરે નહિ અને દોષ વગરના સ્નેહીને ત્યાગ કરવાને ઉપદેશ કે સૂચના સદાગમ કદિ આપે પણ નહિ. મેં એમ સાંભળ્યું છે કે એ સદાગમ જે કાંઇ કામ કરે છે કે બેલે છે તે સર્વ પૂર્ણ વિચાર કરીને આચરે છે, માટે આ બાબતમાં કાંઈ ઊંડું કારણ હોવું જોઈએ. આ સ્પર્શન પણ ઘણે ભાગે બહુ સારું હોય એમ તે લાગતું નથી. બાળે એની સાથે દોસ્તી બાંધવા માંડી છે તે મારા વિચાર પ્રમાણે તો ખોટું કર્યું હોય એમ જણાય છે. આ પ્રમાણે મનમાં વિચાર કરતો હતો તે વખતે સ્પર્શને તેની સાથે વાત કરવા માંડી. મનીષીએ પણ લોકરૂઢિ અનુસાર વિવેક જાળવવા ખાતર તેની સાથે વાતચીત કરી અને ઉપર ઉપરથી સ્પર્શન સાથે મૈત્રી બાંધી. અત્યાર સુધી સ્પર્શન આપે અને તમે–બહુ વચનથી બાળ સાથે વાત કરે છે, હવે મિત્રતા થયા પછી તે એકવચનને ઉપયોગ કરશે તે ગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy