SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ નાથી પાષાણ (માટી) જુદો પડે ત્યારે તેને પરાભવ થાય છે, અને વિરહ સહન ન થવાથી અંતે તે બળીને રાખ થાય છે. આબરૂદાર મનુ મિત્રના વિરહે જીવતા નથી અને જીવે છે તે તેમને યોગ્ય પણ નથી. સૂર્ય (મિત્ર) અસ્ત થયા પછી દિવસ એકદમ ચાલ્યો જાય છે તે એજ બતાવે છે. અહો તારે મિત્ર ઉપરનો પ્રેમ ! અહો તારો દઢ સ્નેહ ! અહે તારૂં ગુણાપણું! અહો તારું સાહસ ! અહો તારે સત્ય ભાવ ! વળી બીજી બાજુ જોઈએ તો ભવજન્તુની ક્ષણવારમાં રક્તતા અને ક્ષણવારમાં વિરક્તતા વિચિત્ર છે! તેનું કૃતધ્રપણું (કરેલ ગુણને હણવાપણું) પણ જબરું કર્યું ! તેની તે સર્વ બાબતે અલૌકિક જણાય છે! તેની મૂઢતા, તેનું ઘાતકી હૃદય અને અનાર્યને ગ્ય તેની ક્રિયા અને પ્રવૃત્તિ સર્વ વિચિત્ર પ્રકારના જણાય છે. આ પ્રમાણે હકીકત છે તથાપિ તને એક વાત કહું છું તે તું સાંભળ.” સ્પર્શન– આપ કઈ પણ પ્રકારના સંકલ્પ વિકલ્પ વગર ખુલ્લા દીલથી જે કહેવું હોય તે મને ખુશીથી કહો.” બાળ-“મિત્રતાનું ખરેખરૂં અભિમાન રાખનાર, સ્નેહની ખાતર કેડ બાંધનાર અને સ્નેહ પુન: પ્રાપ્ત કરવાનો બીજો ઉપાય નહિ શોધી શકનાર તારા જેવા પ્રેમી મનુષ્યને કરવું ઘટે તેજ તે કર્યું છે એમ તે મારે કહેવું જોઈએ; પણ હવે તો તારે મારા ઉપર કૃપા કરીને તારાં પિતાનાં પ્રાણ તે ધારણ કરવાં પડશે, તારે આત્મઘાત તે નજ કર, નહિ તો મારી પણ તારા જેવીજ ગતિ થશે. તારા આવા સ્વાભાવિક મિત્રવ7ળપણથી હું તારા ઉપર રાજી રાજી થઈ ગયેછું. સારા માણસે દાક્ષિણ્યથી ભરેલા હોય છે અને અમુક પ્રાણુ સારે ૧ ખાણમાં સેનું અને માટી પાષાણ સાથે હોય છે. પથ્થરને પોતાના મિત્ર સેનાને વિરહ થાય છે-એટલે સોનાને શુદ્ધ કરી તેનાથી જૂદુ પાડવામાં આવે છે ત્યારે પાષાણુ પોતાના મિત્રને વિરહ સહન કરી શકતો નથી અને તેથી બળ મટે છે. (ભઠ્ઠી પર ચઢાવવામાં આવે છે ત્યારે પથ્થરની રાખ થઈ જાય છે) ૨ દિવસને અને સૂર્યને એટલી બધી ગાઢી દસ્તી છે કે સૂર્યને વિરહ થાય એટલે તે અસ્ત થઈ જાય ત્યારે દિવસ પણ તેને વિરહ સહન ન કરી શકવાને પરિણામે તેની પછવાડે ચાલ્યો જાય છે, એટલે કે દિવસ મટી જાય છે. ( રાત્રી થાય છે.) દિવસે સૂર્ય (મિત્ર) ની ગેરહાજરીમાં રહેવું જ યંગ્ય ન ધાર્યું. મિત્ર શબ્દનો અર્થ સૂર્ય પણ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy