SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ '૮ પતિ ભવપ્રપચા કથા. [ પ્રસ્તાવ ૩ પને જ મને બહુ આનદ આપનારાં હતાં તનાં તણે પચ્ચખાણ કરી દીધાં, કમળ શરીરલતાથી આનંદ આપનાર મને ઘણું પ્રિય અને આલ્હાદ આપનાર સ્ત્રી સમુદાયના તણે સવા ત્યાગ કર્યો અને વાત ત્યાંસુધી આળ વધતી ચાલી કે તે દિવસ પછીથી તે તે (મારો મિત્ર ભવજન્ત ) માથે ફેશને કેચ કરાવે, કઠણ જમીન પર સુ, શરીર પર મલ ચઢવા દે, ચગપર કાટેલાં તટેલાં કપડાં પહેરે, સ્ત્રીનાં અવયવને સંગ લા સ્થીજ તજી દ; કદાચ સ્ત્રીના અવયવને જરા પણ અડકી જવાય અથવા બીજી કોઈ પણ બાબતમાં બેદરકારીથી ગલતી થાય તે પ્રાયશ્ચિત કરે, સખ્ત ડીવાળા માહામાસમાં ટાઢ સહન કરે, ઉનાળાની સખ્ત ગરમીમાં તમજ જેઠ અસાડ માસમાં સૂર્યની આતાપના છે અને જાણે મારે ખરેખર મોટો દુશ્મન થઇ ગયા હોય નહિ તેમ જે જે વાત મને પ્રતિકુળ લાગે તે તે સવ એ ભાઈ સાહેબ આચરે. આ પ્રમાણે જ્યારે સર્વ હકીકત બની ત્યારે મેં મારા મનમાં વિચાર કર્યો કે આ ભાઈએ (ભવજન્તુએ) તે આપણે સર્વથા ત્યાગ કર્યો છે, પરંતુ ઘરડાની કહેવત એવી છે કે ખરેખર પ્રેમી માણસ હોય છે તે મરે ત્યાં સુધી પણ એને વિસરતા નથી; તેથી જોકે હાલ તો ભવજંતુ પેલા સ્પર્શનનો કાલ્પ- સદાગમની શીખવણીએ ચઢી જઈ મને આવી રીતે નિક દિલાસા. દુઃખ આપે છે તો પણ હાલ મારે તેને તજી દેવો ન જોઈએ, કારણ કે એ બાપડ ભળે છે, અત્યાર સુધી ઘણું કાળપર્યત મારી સાથે એક આત્મભાવ હોય તેટલે પ્રેમ રાખતો હતો અને મને પસંદ આવે તેવાં ઘણું કામ કર્યા કરતો હતો. અત્યારે એનામાં વિપરીત ભાવ થઈ ગયે છે તે સદાગમની સોબતને લીધે જ થયો છે. વળી થડા વખત પછી સદાગમ ચાલ્યો જશે અથવા તેઓની દોસ્તી છૂટી જશે એટલે મારે મિત્ર પાછો જ૩૨ ઠેકાણે આવી જશે. આવા આવા વિચાર કરીને ભવજંતુએ જે કે મને કાઢી મૂક્યો હતો તો પણ તેનો સદારામ સાથેનો સંબંધ દૂર ૧ આ સર્વ કહેવાનો મતલબ એ છે કે ભવજંતુ જે અત્યાર સુધી સ્પઇદ્રિયના વિષયમાં આસક્ત હતો તે હવે સદાગમના પ્રસંગમાં આવી, તેને ઉપદેશ સાંભળી, તેનું રહસ્ય વિચારી, સંસારનો ત્યાગ કરી સાધુ થઇને બેઠો છે. આ વિચાર યોગ્ય શબ્દોમાં કોઢ રીતે મળે છે અને સ્પર્શનને તેના ખરા આકારમાં ચિતયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy