SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩] મનીષી અને બાળ. ૩૭9 મેં તો આ ભાઈસાહેબનું કાંઈ બગાડ્યું નથી; વખત વગર આ તે જાણે છઠ્ઠીમાંજ બદલાઈ ગયો હોય નહિ તેમ ભારે મિત્ર આવો થઈ ગયે તેનું કારણ શું હશે? અરે ! હું કે કમનશીબ ! મારાં નશીબ કુટી ગયાં-આ પ્રમાણે બોલતે રડતો જાણે મારા પર કેઈએ વજન ઘા કર્યો હોય, જાણે મને કોઈએ બુંદી નાખ્યો હોય, જાણે મારું સર્વસ્વ કે હરણ કરી ગયું હોય તેવી રીતે મૂર્તિમાન, શેકમય હું થઈ ગયો અને મને બહુ દુઃખ થવા લાગ્યું. ઘણે વિચાર કરતાં મને સમજાયું કે મારા મિત્રે સદારામ સાથે વિચારણા કરી, વાતચીત કરી–અ અનર્થપરંપરાનું ખરેખરૂં કારણ છે. એ પાપી સદાગમે મારા પરમ પ્રિય મિત્રને છેતર્યો જણાય છે. પણ અરેરે ! મારો મિત્ર હજુપણ મારું હૃદય ચીરી નાખતા હોય તેમ વારંવાર સદારામ સાથે એકાંતમાં વિચારણું કર્યા જ કરે છે, મારા મિત્રને તેમ ન કરવા હું વારંવાર પ્રાર્થના કરું છું, પણ તે સાંભળતો પણ નથી અને થાય છે એમ કે એ સદાગમ સાથે જેમ જેમ વધારે વધારે વાતચીત મારો મિત્ર કરતો જાય છે તેમ તેમ તે મારા તરફ વધારે વધારે શિથિળ થતો જાય છે; મારા મિત્રનું શિથિળપણું વધે છે તેમ મારું દુ:ખ પણ ભવજંતુ સદા- વધતું જાય છે. આવી રીતે સદાગમ સાથે મારો ગમ પર્યાલોચના. મિત્ર ભવજંતુ દરરોજ ચર્ચા વાર્તા વિચારણું કરતો હતો. એમ કરતાં એક દિવસ તો એકાંતમાં બેસીને સદાગમ સાથે મારા મિત્રે ખૂબ પર્યાલચના કરી અને તેને પરિણામે મારા મિત્રે મારી સાથે સર્વ સંબંધ તે વખતથી તોડી નાખે, પિતાના મનમાંથી પણ મને દૂર કર્યો, મારા કહેવાથી તેણે અગાઉ કમળ તળાઈ, ઓશીકાં, ખાટલા વિગેરે લીધેલાં હતાં અને જે મને બહુ પસંદ આવતાં હતાં તે સર્વ તેમાં તજી દીધો, સ્પર્શન વિ. હંસ પક્ષીનાં રૂવાંથી ભરેલાં આસનીઆઓ દૂર કરી રૂદ્ધ વર્તન. દીધાં, ઉત્તરીય વસ્ત્ર, રેશમી વસ્ત્ર, ખેસ, ચીનાઈ વસ્ત્રો અને લાંબા વસ્ત્રો સર્વ દર મૂકી દીધાં, શિયાળા. અને ઉહાળામાં ઋતુધર્મથી ઉલટા કસ્તુરી ગોરાચંદન આદિના વિલે ૧ છઠીને બદલાયેલો એટલે જન્મને બદલાયેલો. જાણે જમે ત્યારથી જ ફરી ગયું હોય તેવો તે દેખાય છે. જન્મ પછી છડે દિવસે વિધાત્રા લેખ લખે છે એવી લોકમાન્યતા છે, તેને છઠ્ઠી કહે છે. તે દિવસના લેખથીજ જાણે બદલાઈ ગયો હોય તેવો આ જણાય છે ૪૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy