SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ "ભવજન્તુની અંતર કથા. સ્પર્શનસંગ અને મુક્તિ, મુક્તસંગનું વર્તન મારે એક ભવજંતુ નામનો મિત્ર હતા. તેની અને મારી દસ્તી એવી હતી કે તે જાણે મારું બીજું શરીર હોય, મારું સર્વસ્વ હોય, મારું જીવતર હોય, મારું જાણે હૃદયજ હોય ! એને મારા પર એટલે બધે સ્નેહ હતો કે એક ક્ષણવાર પણ તે ભારે વિરહ સહન કરી શકતો નહિ, સર્વ વખત તે મારી લાલનપાલન કરતો હતા અને દરેક ઝીણું ઝીણી બાબતમાં પણ મને પૂછીને કામ કરતો હતો. મને વારંવાર પૂછે “ભાઈ સ્પર્શન ! તને શું પસંદ આવે છે? તારી શી મરજી છે?” વિગેરે. હું તેના ઉત્તરમાં જે તેને કહું તે મારે માટે તે લઈ આવતો એટલે બધે મારા ઉપર તેને પ્રેમ-સ્નેહ હતો. મને પ્રતિકૂળ થાય અથવા લાગે તેવું કઈ પણ કામ મારે મિત્ર ભવજંતુ કદિ કરતો નહિ. એક દિવસ મારે કમનશીબે તે મારા મિત્રે સદાગમને જોયો. મનમાં પૂજ્યભાવ લાવીને તે સદાગમની સાથે મારા મિત્રે એકાંતમાં વાતચીત કરી, વિચારણા કરી અને તે વખતે તેને આનંદ થયો હોય એમ દેખાયું. આ વખતથી માંડીને ભવજંતુની મારા ઉપરની પ્રીતિ મંદ થવા માંડી. સદાગમ- ત્યાર પછી અગાઉ તે મારી લાલનપાલન કરતે પરિચય. હતો તે ઓછી થવા લાગી, મારા તરફ એ એકીભાવ રાખતો હતો તે અટકી ગયે, મારા ઉપદેશ પ્રમાણે ચાલવાનું તેણે બંધ કર્યું અને વાત એટલે સુધી વધી ગઈ કે મારા સંબંધી વાત પણ કેઈને પૂછે નહિ અને તે દિવસથી ઉલટો મને પોતાને દુશમન માનવા લાગ્યું, મારા અપરાધે શોધવા લાગ્યો અને મને પ્રતિકૂળ હેય-ન ગમે તેવું હોય તેની સેવા કરવા લાગે, તેવી વસ્તુના સંબંધમાં વધારે આવવા લાગ્યો. આ પ્રમાણે બન્યું ત્યારે મારા મનમાં વિચાર છે કે અહો ! આ શું થઈ ગયું? ૧ આ કથા સ્પર્શન બાળ આગળ કહે છે, એ સર્વ વિદુર નંદિવર્ધન પાસે કહે છે, એ આખી વાત સંસારી જીવ સદાગમસમક્ષ અઝહીતસંકેતાને ઉદેશીને કહે છે. ભવજંતુની અંતર કથા પૃ. ૩૭૯ પૂરી થાય છે. એ એક નાનો હેવાલ છે. ૨ સદાગમ: શુદ્ધ વસ્તુ સ્વરૂપ સમજવનાર જ્ઞાન. આ સદાગમ અને જેની પાસે સંસારીજીવ વાત કરે છે તે એકજ છે, પણ કથાપ્રસંગને અંગે જુદા જુદા ગણવામાં આવે તો પણ જ્ઞાનના અસંખ્ય ભેદ હોવાથી વધે આવે તેમ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy